SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ પોષ દશમી - પ્રવચન (૧) હાથીને પ્રતિબોધઃ એક વાત કદાચ તમને બતાવી નથી. અરવિંદ રાજર્ષિને અવધિજ્ઞાન'પ્રકટ થઈ ગયું છે. તેમણે અવધિજ્ઞાનના પ્રકાશમાં જોયું. દૂરથી હાથી દોડતો આવી રહ્યો છે. જ્યારે હાથી નજીક આવ્યો ત્યારે રાજર્ષિએ પોતાનો જમણો હાથ ઊંચો કરીને આશીર્વાદની મુદ્રા હલાવીને, બહેમરુભૂતિ, શાંત થા. પૂર્વજન્મમાં મારું કહેવું ન માન્યું તો આ તિર્યંચ પશુનો જન્મ મળ્યો. હજુ પણ મારું કહેવું નહીં માને તો તારું શું થશે? યાદ કર, તું રાજપુરોહિત હતો, તારું નામ મરુભૂતિ હતું. કેવો તું વિવેકી, ક્ષમાશીલ અને ધૈર્યવાન હતો ? અપરાધીને ક્ષમા કરવાની તારી કેવી ઉદારતા હતી? ક્ષમાયાચના કરતાં કરતાં તારો પ્રાણ નીકળી ગયો... પ્રાણ નીકળતી વખતે તારા મનમાં આર્તધ્યાન આવી ગયું, અને તે હાથીનો ભવ પ્રાપ્ત કર્યો.” રાજર્ષિની વાણી સાંભળતાં જ હાથીને પૂર્વભવની સ્મૃતિ થઈ આવી. તે જમીન ઉપર બેસી ગયો અને નમીને રાજર્ષિને વંદના કરવા લાગ્યો. એટલામાં હાથણી - અરણા પણ ત્યાં આવી. રાજર્ષિએ એને પણ પ્રતિબોધ આપ્યો. હાથણીને ય પૂર્વજન્મની સ્મૃતિ તાજી થઈ આવી. બંને પ્રતિબદ્ધ થયાં. તેમના હૃયમાં દયાભાવ જાગૃત થયો. પુણ્યકર્મ બાંધતા રહોઃ આને કહે છે પુણ્યોદય ! જંગલમાં અવધિજ્ઞાની મહર્ષિનો સંયોગ મળવો.. હાથી-હાથણીના ભવમાં પ્રતિબોધ પામવો... પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવવી. પશુયોનિમાં ધર્મપ્રાપ્તિ થવી. આ બધી સામાન્ય બાબતો નથી. મહાન પુણ્યનો ઉદય હોય, ત્યારે જ આવી વાતો બને છે. મરુભૂતિના ભવમાં એવું પુણ્ય ઉપાર્જન કર્યું હતું, તે પુણ્ય - તે પ્રારબ્ધ આ જન્મમાં કામ આવી ગયું. આ ઘટનાથી એ ફલિત થાય છે કે મનુષ્ય જન્મમાં કષાયોને ઓછા કરતાં કરતાં બની શકે તેટલાં સુકૃત્યો કરો. વિવિધ પ્રકારના સુકત કરતા રહો. સુકતોથી પુણ્યકર્મનું બંધન થાય છે. પુણ્ય ઉપાર્જન કરતા રહો. ઉત્કૃષ્ટ પુણ્યોપાર્જન કરતા રહો. કોઈ વાર કોઈક ભૂલ થઈ ગઈ અને દુર્ગતિમાં જવું ય પડ્યું તો એ પુણ્યકર્મ ઉદ્ધાર કરવા માટે સહયોગી બની જશે. અરવિંદ રાજર્ષિની જેમ કોઈક ઉદ્ધારક મળી જશે. ચંડકૌશિક નાગને ભગવાન મહાવીર મળ્યા હતા ને? એ જીવોના પુણ્યકર્મના ઉદયથી જ આવા ઉદ્ધારકો મળ્યા હતા. એટલા માટે કહું છું કે પુણ્યકર્મનો સંચય કરતા રહો! ચારેકોર દુઃખનાં વાદળો ઘેરાયેલાં હશે. એ સમયે તેજસ્વી સૂર્યની માફક પુણ્યકર્મ ચમકશે અને દુઃખોનાં વાદળોને ચીરી નાખશે... ચારે તરફથી ડાકુઓએ ઘેરી લીધા હોય અને કોઈ રક્ષક Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy