SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આષાઢ-ચાતુર્માસિક પ્રવચન ૧૩ હવે ખાસ ચાતુર્માસમાં વિશેષ રૂપે ત્યાગ કરવા જેવી કેટલીક વાતો તમને જણાવું છું. (૧) મુસાફરી, (૨) આમ્રફળ, (૩) પત્તાંવાળી ભાજી, (૪) જાંબૂ, (૫) ઘ૨ની વાર્ષિક સફાઈ, (૬) નવું મકાન બનાવવું, (૭) જૂનું મકાન રીપેર કરવું, (૮) ખારેકખજૂર (૯) પાછળના દિવસે તોડેલી સોપારી, (૧૦) કાચું પાણી, (૧૧) સિનેમા, નાટક, સરકસ., (૧૨) બરફ, આઇસ્ક્રીમ. હવે જીવનમાં શું શું કરવું જોઈએ અને ચાતુર્માસમાં શું શું કરવું જોઈએ એની યાદી-સૂચિ સંભળાવું છું. ૧. સુદેવ, સુગુરુ, સુધર્મ પર શ્રદ્ધાને મજબૂત કરવી, ૨. પરમાત્મદર્શન, ૩. પરમાત્મપૂજન, ૪. જાગતાં જ નવકા૨સ્મરણ, ૫. પ્રતિક્રમણ, ૬. સામાયિક, ૭. ગુરુવંદના, ૮. સ્નાત્રપૂજા, ૯. વ્યાખ્યાન શ્રવણ, ૧૦. પૌષધવ્રત (પતિથિમાં), ૧૧. ઉપવાસ (પર્વીતથિમાં), ૧૨. આયંબિલ (મહિનામાં કેટલાંક), ૧૩. એકાસણાં (મહિનામાં કેટલાંક), ૧૪. કેટલીક વિગઈનો ત્યાગ, ૧૫. સચિતનો ત્યાગ, ૧૬. લીલી વનસ્પતિનો ત્યાગ, ૧૭. થાળી ધોઈને પીવી, ૧૮. નવકારમંત્રની એક માળા, ૧૯. ધાર્મિક પુસ્તકો વાંચવાં, ૨૦. ગરમ-ઊકાળેલું પાણી પીવું, ૨૧. બ્રહ્મચર્યનું પાલન કરવું, ૨૨. પાણી ગાળીને ઉપયોગમાં લેવું, ૨૩. નીચે જોઈને ચાલવું, ૨૪. ક્રોધ ન ક૨વો, ૨૫. ઝઘડો ન ક૨વો, ૨૬. સુપાત્રે દાન આપવું, ૨૭. જ્ઞાનદાન આપવું, ૨૮. અભયદાન આપવું, ૨૯. તીર્થયાત્રા (ચાતુર્માસમાં નહીં). આ સૂચિમાંથી તમે જે જે કરી શકો તેની પ્રતિક્ષા કરવી જોઈએ. આખી જિંદગી સુધીની પ્રતિજ્ઞા લઈ શકો છો. કેટલાંક વર્ષો માટે, યા કેટલાક મહિનાઓ માટે પણ પ્રતિજ્ઞા લઈ શકો છો. ડરવું નહીં કે પ્રતિજ્ઞાનો ભંગ થશે તો મોટું પાપ લાગશે.' એવો સંકલ્પ કરો કે ‘પ્રાણ જાય તો જાય, પરંતુ પ્રતિજ્ઞાભંગ નહીં કરું.' મનોબળ દૃઢ બનાવવું. એને માટે કેટલીક સાવચેતી બતાવું છું. * પ્રતિજ્ઞા સદ્ગુરુ પાસેથી લેવી. * સંયોગ અને પરિસ્થિતિને અનુરૂપ પ્રતિજ્ઞા લેવી. * કમજોર મનોબળવાળા લોકોનો સંપર્ક ન રાખવો. * પ્રતિજ્ઞા-ભંગ થવાની સંભાવના હોય એવા સ્થળે ન જવું. * સપ્તાહમાં એક વાર સર્વ પ્રતિજ્ઞાઓને યાદ કરી લેવી. * જે વિષયની તમે પ્રતિજ્ઞા લીધી હોય, એ પ્રતિજ્ઞાનું મહત્ત્વ બુદ્ધિપૂર્વક સમજી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy