SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ-પ્રવચનમાળા કેટલાંક વર્ષોથી આપણા જૈન સંઘોમાં પણ રાત્રિભોજન વ્યાપક બનતું જાય છે. રાત્રિભોજનને માંસ-ભોજન સમાન માનવામાં આવ્યું છે. એટલા માટે રાત્રિભોજનને જીવનપર્યંત ત્યજી દેવું જોઈએ. ઓછામાં ઓછું, ચાતુર્માસમાં તો રાત્રિભોજનનો ત્યાગ કરવો જ જોઈએ. ૧૨ સૂર્યાસ્ત પછી વાતાવરણમાં જીવોની ઉત્પત્તિ ઘણી થઈ જાય છે. વીજળીના પ્રકાશમાં પણ તે જીવો દેખાતા નથી, પણ ભોજનમાં પડે છે. એનાથી શારીરિક નુકસાન તો થાય જ છે, જીવહિંસા પણ થાય છે. બ્રહ્મચર્યવ્રતનું પાલન કરનારાઓએ તો રાત્રિભોજન છોડવું જ જોઈએ. રાત્રિભોજન કરનારાઓના મનમાં મૈથુનની ઇચ્છા ઊમટે છે. શરીરમાં વિકાર ઉત્પન્ન થાય છે. એટલા માટે સૂર્યાસ્ત થતા પહેલાં ૪૮ મિનિટ પૂર્વે જ ભોજનનો ત્યાગ કરવાનું કહ્યું છે. સવારે જે રીતે સૂર્યોદય થયા પછી ૪૮ મિનિટ વીત્યા પછી ભોજન કરવાનું કહ્યું છે, એ રીતે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં જ ભોજનનો ત્યાગ કરવાનો હોય છે. જૈનધર્મમાં રાત્રિભોજનના ત્યાગને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જીવનવ્યવસ્થા જ એવી બનાવવી જોઈએ કે રાત્રિભોજન કરવું જ ન પડે. જો તમે નિર્ણયનિશ્ચય કરી લો તો રાત્રિભોજનનો ત્યાગ કરી શકો. સમગ્ર જીવન માટે રાત્રિભોજનના ત્યાગની પ્રતિજ્ઞા ન લઈ શકો તો ચાતુર્માસના ચાર મહિનાઓ માટે પણ પ્રતિજ્ઞા લેવી જ જોઈએ. જીવનપર્યંત તમારે શું શું ત્યજવું જોઈએ, તેની એક સૂચિ તમને બતાવું છું. ૧. કુદેવ, કુગુરુ, કુધર્મની માન્યતા, ૨. સાત વ્યસન, ૩. રાત્રિભોજન, ૪. કંદમૂળ, ૫. વાસી ખોરાક, ૬. મધ અને માખણ, ૭. દ્વિદળની સાથે ગરમ કર્યા વગરના દૂધ, દહીં, છાશ, ખાવાનું. ૮. પાન, બીડી, સિગરેટ, ૯. સિનેમા, ટી.વી., ૧૦. જાસૂસી નવલકથા વાંચવી, ૧૧. દાણચોરી, ૧૨. ગાળો બોલવી, ૧૩. હિંસામય વ્યવસાય, ૧૪. ભોજન જુઠું મૂકવું, ૧૫. ખોટી સાક્ષી આપવી, ૧૬. તમાકું ખાવી, ૧૭. હિંસાજન્ય સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવો. તમારામાં દૃઢ મનોબળ હોય તો આ પાપોને જીવનભર ત્યજી દો. પ્રતિજ્ઞા કરી લો. જો એવું મનોબળ ન હોય તો પાંચ વર્ષ માટે, ચાર, ત્રણ, બે યા એક વર્ષ માટે પ્રતિજ્ઞા કરી શકો છો. આ વાતોમાં કોઈ વાત તમારી સમજમાં ન આવતી હોય તો તમે મારી પાસે આવીને પૂછી પણ શકો છે. પ્રતિજ્ઞામાં કોઈ અપવાદ રાખવો હોય તો તે રાખી શકો છો; પરંતુ પ્રતિજ્ઞા તો કરવી જ જોઈએ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy