SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આષાઢ-ચાતુમસિક પ્રવચન ૧૧ પરપુરુષગામી બની છે. આ પાપથી બચી ગયેલાં સ્ત્રીપુરુષોની સંખ્યા અતિ અલ્પ છે. આ પાપ આત્માનું તો સર્વતોમુખી પતન કરે જ છે પણ શરીરને ય રોગી બનાવે પરસ્ત્રીગામી પુરુષ અને પરપુરુષગામી સ્ત્રી, બંને પોતાના પારિવારિક જીવનને કલુષિત કરી દે છે. પોતાના ક્ષણિક આવેગોમાં વહીને તેઓ બીજાંનાં જીવનમાં પણ આગ લગાડે છે. આ વિષયમાં મેં તમને ઘણાં ઉદાહરણો સંભળાવ્યાં છે. પરસ્ત્રીગામી પુરુષોનાં કેવાં ભયંકર પતન થયાં છે...કેવો એમનો સર્વનાશ થયો છે એ વાત શું તમે નથી જાણતા? મનને તૃઢ કરો. પુરુષોએ પરસ્ત્રીઓના નજીકના પરિચયમાં ન આવવું જોઈએ. પરસ્ત્રીઓનાં રૂપ-શૃંગાર ન જોવાં જોઈએ. નીચી કોટિનું એવું હલકું સાહિત્ય ન વાચવું જોઈએ, પરસ્ત્રી સાથે એકાન્તમાં રહેવું ન જોઈએ અને આંખ પરોવીને હસવું પણ ન જોઈએ. આ જ સાવધતા સ્ત્રીઓએ પુરુષ સંબંધમાં સમજવાની છે. પ્રથમ વાત તો એ છે કે તમારા મનમાં પરસ્ત્રીગમનની પરપુરુષગમનની ઈચ્છા જ પેદા ન થવી જોઈએ. એવા વિચારોનો પ્રવાહ જ ન બનવો જોઈએ. સમાન ઈચ્છાવાળાં સ્ત્રીપુરુષ મળી ગયાં અને અનુકૂળ સ્થાન મળી ગયું...તો પતન થવામાં વાર નથી લાગતી. તત્કાલ પતન થઈ જશે. ઇન્દ્રિયો ઉપર સંયમ હશે, પાપનો ભય હશે, મનને પરસ્ત્રીગમનની ઇચ્છાથી મુક્ત કર્યું હશે, તો જ તમે પરસ્ત્રીગમન ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકશો અને પ્રતિજ્ઞાનું પાલન કરી શકશો. ખૂબ સાવધાન બનીને જીવવાનું છે. રાત્રિભોજનઃ સૂર્યાસ્ત થયા પછી ભોજન ન કરવું જોઈએ. પ૩મરિયું ગ્રંથમાં શ્રી વિમલાચાર્યજીએ કહ્યું છે. जे पुण रयणीसु नरा भुज्जन्ति असंजया वयविह्वणा । ते नरयतिरियवासे हिण्डन्ति अणंतयं कालं ॥ अणुहविऊण य दुःखं जइ कह विलहन्ति माणुसं जम्मं । तत्थ वि होन्ति अणाहा जे निसिभत्तं न वज्जंति ॥ જે અસંયત અને વ્રતરહિત મનુષ્યો રાત્રિમાં ભોજન કરે છે, તે લોકો નરકગતિ અને તિર્યંચગતિમાં અનંતકાળ-જન્મ મરણ કરે છે. દુઃખ અનુભવે છે. અને ગમે તે પ્રકારનું મનુષ્યજીવન પામે છે. અને રાત્રિભોજનનો ત્યાગ નથી કરતા તે લોકો અનાથ-અસહાય બને છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy