SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ પોષ દશમી - પ્રવચન (૧) તાપસીનો એક આશ્રમ જોયો. આશ્રમના કુલપતિ હતા "શિવ નામના તપસ્વી. કમટે તેમનું શરણું લઈ લીધું. એ તાપસી દીક્ષા લઈને તપસ્વી બની ગયો. તમારે એમ ન સમજવું કે એ સુધરી ગયો! ના, એ તો આપત્તિકાળમાં ધારણ કરેલ માત્ર તપસ્વી - તાપસી દીક્ષાનો આડંબર હતો. ન તો એ ત્યાગ હતો કે ન તો એ વૈરાગ્ય હતો. એવા ર્દયમાં તો મરુભૂતિ પ્રત્યે ઘોર દ્વેષ ઊછળી રહ્યો હતો. સહવર્તી તાપસો સાથે વાર્તાલાપ કરતી વખતે કોઈ કોઈ વાર આ ઠેષભાવ પ્રકટ થઈ જતો હતો. મરુભૂતિ કમઠને મળે છે? આ બાજુ મરુભૂતિએ માત્ર અરુણાને વાત કહી કે "હું કમઠને મળીને આવું છું. તે શિવતાપસના આશ્રમમાં તાપસ બનીને રહ્યો છે.” મરુભૂતિ રાત્રિના સમયે અશ્વારૂઢ થઈને ઘેરથી નીકળ્યો. રાતભર અશ્વ દોડતો રહ્યો. પ્રાતઃકાળે મરુભૂતિ શિવતાપસના આશ્રમ પાસે આવી પહોંચ્યો. તે ઘોડા ઉપરથી નીચે ઊતરી ગયા. આશ્રમની બહારના એક વૃક્ષની સાથે ઘોડો બાંધીને તેમણે આશ્રમમાં પ્રવેશ કર્યો. પથ્થરની એક શિલા ઉપર કમઠ બેઠો હતો. તેણે મરુભૂતિને આશ્રમમાં પ્રવેશતાં જ જોઈ લીધો... તેની આંખોમાં દ્વેષનો જ્વાળામુખી ફાટ્યો... મરભૂતિએ કમઠને તાપસના રૂપમાં જોયો. તેમની આંખો ભીની થઈ ગઈ. તે દોડીને કમઠની પાસે ગયા અને જમીન પર સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. મરુભૂતિનું મૃત્યુ હજી તોમરૂભૂતિ જમીન ઉપર પડ્યા છે ત્યાં કમઠે ઊભા થઈને એક મોટો પથ્થર ઉપાડીને મરુભૂતિના માથા ઉપર પ્રહાર કર્યો. મરુભૂતિનું માથું ફૂટી ગયું.. કમઠ ત્યાં ઊભો ઊભો અટ્ટહાસ્ય કરે છે. મરુભૂતિનું ત્યાં મૃત્યુ થઈ ગયું. આશ્રમના તાપસો ત્યાં એકઠા થઈ ગયા. કુલપતિ શિવ પણ ત્યાં દોડતા આવી ગયા. તેમણે કમઠને ધિક્કાયો.. અન્ય તાપસો એની ઉપર થૂક્યા..... પ્રહારો કર્યા અને તેને આશ્રમમાંથી કાઢી મૂક્યો. મરુભૂતિના હૃયમાં આમ તો શુભ ભાવ જ હતો મૃત્યુની પહેલાં. પરંતુ મરીને તે તિર્યંચગતિમાં ઉત્પન્ન થયા. એટલા માટે માનવું પડે છે કે મૃત્યુની ક્ષણે અશુભ ભાવ આવી ગયો હોય !!! અથવા એમણે પહેલા કદી તિર્યંચગતિનું આયુષ્ય બાંધી લીધું હોય. મરુભૂતિના મૃત્યુના સમાચાર પહોંચ્યા પોતનપુર. મહારાજા અરવિંદને ઘેરો આઘાત લાગ્યો. અરુણા અને વસુંધરા પણ ખૂબ દુઃખી થયાં. આખાય નગરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy