SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ પર્વ-પ્રવચનમાળા મોટાભાઈએ મહારાજાને કહીને દેશનિકાલ કરાવ્યો, ત્યાં મારી ભૂલ માનીને મારા પ્રત્યે તીવ્ર કષાયી બન્યો હશે !” મહારાજા અરવિંદે કહ્યું: "બનવા દો તીવ્ર કષાયી, આપણે શું? અપરાધ એણે કર્યો છે; સજા ભોગવવી જ પડશે.” મરુભૂતિએ કહ્યું "પરંતુ તીવ્ર કષાયમાં મરશે તો નરકમાં જશે... અસંખ્ય વર્ષ દુખ, ત્રાસ, વેદના... સહન કરવી પડશે..." મહારાજાએ કહ્યું : "આવા પાપી જ નરકે જાય છે ને? જવા દો, તું ચિંતા ન કર." મરુભૂતિએ કહ્યું: મહારાજા, મારા નિમિત્તે એવું ન થવું જોઈએ... હું એ વિચારું છું કે એની પાસે જઈને ક્ષમાયાચના કરી આવું, તેથી તેનો કષાય શાન્ત થાય.” મહારાજાએ કહ્યું: “વત્સ, એવી ભૂલ ન કરતો. અયોગ્ય અપાત્ર જીવ ન કોઈની પાસે ક્ષમાયાચના કરે છે, ન કોઈને ક્ષમાદાન આપે છે. તું એની પાસે જઈશ તો તેના કષાયો વધારે પ્રજ્વલિત થશે.” મરુભૂતિએ કહ્યું: “પરંતુ જ્યાં સુધી હું એની ક્ષમાયાચના નહીં કરું, ત્યાં સુધી મારું મન શાન્ત-ઉપશાન્ત નહીં બને.” મહારાજાએ કહ્યું: “મરુભૂતિ, આ તારી ભાવુકતા છે. વધારે પડતી ભાવુકતામાં વહી જવું એ બરાબર નથી. તે અહીં જ પોતાની ક્ષમાયાચના કરી લે. એના પ્રત્યે મનમાં વેરભાવ ન રાખવો જોઈએ. એટલું જ પર્યાપ્ત છે.” મરુભૂતિની અતિભાવુકતા ભરેલી વાત મહારાજાના દયને ગમી નહીં. તે પોતાને ઘેર આવે છે. રાતભર ખૂબ જ વિચાર કર્યો: "આ રાજ્ય છોડીને તે ક્યાં ગયો છે, તેની હું તપાસ કરાવીશ પછી તેની પાસે જઈશ.” મરૂભૂતિની ઉદાત્ત ભાવના: વાત સમજી શકો છો ને? કોણ કોની ક્ષમા માગવાનું વિચારે છે? જેનો અપરાધ કર્યો છે, જે મોટો ભાઈ છે, તે અપરાધીની ક્ષમા માગવાની વાત કરે છે. કેમ? શા માટે ? એક જ પ્રયોજન હતું - “મારી ક્ષમાયાચનાને કારણે તેનો કષાય શાન્તઉપશાંત થશે. કષાય ઉપશાંત થવાથી તેની દુર્ગતિ નહીં થાય... જીવ કર્મવશ છે, ભૂલ થઈ જાય છે... હવે તે સુધરી જશે.” કેટલી ઉદાત્ત ભાવના હતી મરુભૂતિની? "મેં તો કોઈ ગુનો કર્યો નથી. ગુનેગાર તો તે છે. હું શા માટે તેની ક્ષમા માગું?” આવી કોઈ વાત મરુભૂતિએ વિચારી નહીં. તેમણે કમઠના સમાચાર મેળવી લીધા. કમઠ અરવિંદનું રાજ્ય છોડીને પાસેના રાજ્યમાં ગયો હતો. એને કોઈ કામધંધો તો આવડતો ન હતો. એક જંગલમાં તેણે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy