SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ પોષદશમી - પ્રવચન (૧) ૨૧૭ ધર્મનો જન્મ ચિત્તમાંઃ ભગવાન પાર્શ્વનાથનો પહેલો ભવ હતો મરુભૂતિનો. એ પહેલા ભવમાં એમણે સમ્યગુ દર્શન પ્રાપ્ત કર્યું હતું. જિનધર્મ પ્રાપ્ત કર્યો હતો. તેમના જ ઘરમાં તેમના ભાઈએ અને પત્નીએ કેવી વિકટ સમસ્યા પેદા કરી દીધી હતી? કેવી દુઃખદ ઘટના બની ગઈ હતી? એ સમયે મરુભૂતિ કેવી સ્વસ્થતા બતાવે છે અને કેવી વિચારધારા તેમના દ્ધયમાં વહે છે? એને કહેવાય જિનધર્મની પ્રાપ્તિ ! એક વાત ન ભૂલો કે ધર્મનો સંબંધ આપણા ચિત્ત સાથે છે. ધર્મ વિરામવઃ | ધર્મજીવના ચિત્તમાં પેદા થાય છે. ધર્મમય ચિત્તમાંથી સદેવ શુભ વિચારધારા જ વહે છે ! હા, કાર્ય શુભ ન પણ હોય, તો કાર્ય પાપનું થઈ શકે છે, વિચાર નહીં ! સભામાંથી અમારા વિચારો તો મોટા ભાગે પાપના જ ચાલતા રહે છે... કોઈ કોઈ કાર્ય શુભ થાય છે. મહારાજશ્રી? કારણ કે જિનવચનોનું અધ્યયન નથી કરતાં. અધ્યયન કરતા હો તો ચિંતન-મનન નથી કરતા... ચિંતન કરતા હો તો તાત્પયથિ સુધી નહીં જતા હો. ધર્મક્રિયા કરતા હશો તો પણ એ ક્રિયામાં મનને જોડતા નહીં હો !! મરુભૂતિ એ વિચારે છે કેઃ “મારે નિમિત્તે કમઠને દેશનિકાલ કરવામાં આવ્યો.... મારા નિમિત્તે તેના મનમાં તીવ્ર કષાયો પેદા થયા. તે માટે નિમિત્તે દુખી થયો...” તેમણે એવું કદી ન વિચાર્યું કે : "એ દુષ્ટને પાપની સજા થઈ તે સારું થયું. અહીં તો એને દેશનિકાલ મળ્યો પણ મરીને તે નરકમાં જ જશે. આવા પાપીને તો આનાથી વધારે સખત શિક્ષા મળવી જોઈએ. કૂતરાને મોતે મરશે.” મરભૂતિ આવું વિચારી જ ન શકે. કારણ કે તેમનું ચિત્ત ધર્મમય બની ગયું હતું. ધર્મમય ચિત્તમાંથી મૈત્રીપૂર્ણ, કરુણાપૂર્ણ પ્રમોદપૂર્ણ યા ઉપેક્ષાપૂર્ણ વિચારધારા જ પ્રવાહિત થાય છે. વસુંધરા પ્રત્યે પણ મરુભૂતિએ કોઈ રોષભર્યું પગલું ન ભર્યું. તેની ઉપેક્ષા કરી દીધી. વસુંધરાના મનમાં ઘોર પશ્ચાત્તાપ થયો તેના પાપાચરણનો. તેણે જાતે આવીને મરુભૂતિની ક્ષમા માગી. મરુભૂતિએ ક્ષમા આપી દીધી. અરુણા મરુભૂતિના મહાન વ્યક્તિત્વથી અભિભૂત થતી ગઈ. મરુભૂતિના પ્રત્યે ઉચ્ચતમ પ્રમોદભાવ તેના હૃદયમાં જાગૃત થયો. અયોગ્ય જીવ ક્ષમા આપતો નથીઃ એક દિવસે મરુભૂતિએ મહારાજા અરવિંદની પાસે જઈને કહ્યું: "મહારાજા, જે દિવસથી કમઠ ગયો છે તે દિવસથી મારું મન ઉદ્વિગ્ન રહ્યા કરે છે. તે ભાગ્યે જ તેની ભૂલ અનુભવતો હશે... પરંતુ મારા પ્રત્યે ઘોર ષ હૃદયમાં ભરીને ગયો છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy