SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પર્વ-પ્રવચનમાળા કરવામાં આવે છે. કમઠનું જીવન બચપણથી જ ઉદ્ધતાઈભર્યું અને દોષપૂર્ણ હતું. અને રાજા એને ઘરથી, નગરથી, રાજ્યથી દૂર રાખવા ઈચ્છતા હતા. જેથી મરુભૂતિના ઘરની શાન્તિ અને પવિત્રતા કાયમ રહે. મરુભૂતિ નિશ્ચિત બની ગયો. કમઠ Æયમાં તીવ્ર રોષ લઈને રાજ્ય છોડીને દૂર જંગલમાં ચાલ્યો ગયો. મરુભૂતિના ઘરમાં શાન્તિ થઈ, પરંતુ આ શાન્તિ બહારની હતી, અંદરથી ભીતરથી બધાં અશાન્ત હતાં ! દિનપ્રતિદિન અરુણાને કમઠનો વિયોગ સતાવવા લાગ્યો. વસુંધરા પોતાની અંદર જ પાપને લીધે વ્યાકુળતા અનુભવવા લાગી. જ્યારે મરુભૂતિ દયા અને કરુણાથી બેચેન રહેવા લાગ્યો. મરુભૂતિનું સમ્ય ચિંતનઃ "ક્યાં જશે કમઠ? શું કરશે? શું ખાશે? સ્થાન સ્થાન ભટકતો રહેશે. જો તે સાચા માર્ગે ચાલ્યો હોત તો આ દિવસ ન આવત.... અને તે હૃદયમાં રોષ ભરીને ગયો છે... તેને ખબર તો પડી જ ગઈ હતી કે મહારાજને બધી વાત મેં કહી છે. એટલા માટે મારા પ્રત્યે તેના દ્ધયમાં દ્વેષ ઉત્પન્ન થયો હશે. તેના દુઃખમાં હું નિમિત્ત બની ગયો.” સમકિત દ્રષ્ટિ જીવનો અપરાધી પ્રત્યે પણ કેવો કરણાભય ચિંતન-ભાવ હોય છે. તે અપરાધી પ્રત્યે પણ અશુભ યા અહિતકારી વિચાર નથી કરતા. આ સમજવાની વાત છે. આંતરનિરીક્ષણ કરવાની જરૂર છે. અંદર ઊતરીને જુઓ કે સમ્યગુ દર્શનનો ગુણ પ્રકટ થયો છે? "અપરાધીનું પણ અહિત ન વિચારવું ” એ જિનવચન મનમાં ઊતર્યું છે ખરું? જિનવચનો ઉપર શ્રદ્ધા એ જ જિનેશ્વરદેવો પ્રત્યે સાચી શ્રદ્ધા છે. જિનવચનોને સમજ્યા વગર તેમના વચનો પ્રત્યે શ્રદ્ધા કેવી રીતે હોય? એટલા માટે તમને લોકોને સદાય કહું છું કે પ્રતિદિન નવું નવું સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત કરતા રહો. જેઓ તમારા અપરાધી નથી તેમને દુઃખ આપવાનું તો વિચારતા નથી ને? તેમના દુઃખમાં તમને મજા તો નથી પડતી ને? તમારા કાર્યકલાપોને જુઓ. તમારા વિચારોનું પૃથક્કરણ કરો. પછી આ વાત વિચારો કે કોઈ માણસ પોતાનાં જ ખરાબ કાયથી દુઃખી થયો. હોય અને તેમાં તમે નિમિત્ત બન્યા હો તો એ મનુષ્ય માટે તમારા હૃયમાં સહાનુભૂતિ.. દયા, કરણાનો ભાવ જાગે છે? જો તમે વાસ્તવમાં જિનધર્મ પામ્યા હશો તો આ ભાવ જાગશે જ. પણ જો માત્ર નામના જ જેન હશો તો એવો શુભ ભાવ નહીં જાગે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy