SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પોષદશમી -પ્રવચન (૧) ૨૧૩ સુખ ઇચ્છતી હતી ! સંસારના રંગ-રાગ ઝંખતી હતી. વિરક્ત પતિથી તે વિરક્ત બનતી ગઈ !! કમઠ-વસુંધરા વિષયાંધઃ મરૂભૂતિ પોતાના રાજકાજમાં અને ધર્મધ્યાનમાં નિમગ્ન રહેવા લાગ્યો. વસુંધરા પોતાના દિયર કમઠ સાથે હસવા લાગી.... વાતો કરવા લાગી. કમઠ તો આમેય કામધંધા વગરનો હતો. તેને કોઈ કામકાજ હતું જ નહીં. વસુંધરા સાથે તે કલાકો સુધી ગપ્પાં મારતો રહ્યો. જો કે કમઠની પત્ની અરુણાને આ પસંદ પડતું ન હતું. પરંતુ એ બિચારી શું કરે? કમઠને તે કંઈક કહેવા ગઈ તો કમઠે તેને ટીપી નાખી. ધીરે ધીરે દિયર-ભાભીનો સંબંધ ગાઢ બનતો ગયો. બંનેની વિષય-વાસના જાગૃત થઈ ગઈ. બંને મોહવશ બન્યાં.... પરસ્પર શારીરિક સંબંધ થઈ ગયો... કેટલાય દિવસો સુધી સંબંધ ચાલતો રહ્યો. બંનેને કોઈ પાપનો ભય તો હતો જ નહીં. ન તો ભય હતો મરુભૂતિનો! એટલે બંને જણાં નિર્ભય બનીને વિષયભોગ કરતાં રહ્યાં. કમઠ-વસુંધરાનો વ્યભિચાર પકડાયો વિષયસુખનો રાગ માનવ પાસે અનેક પ્રકારનાં પાપો કરાવતો રહે છે. વિષયરાગથી મોહ પેદા થાય છે. મોહના પ્રગાઢ અંધકારમાં મનુષ્ય પોતાના કાર્યોના ગુણદોષ જોઈ શકતો નથી. પોતાના આત્માનું હિત-અહિત પણ વિચારી શકતો નથી. હિતકારીને અહિતકારી અને અહિતકારીને હિતકારી માનીને ચાલે છે. પરિણામ આવે છે દુઃખ... ત્રાસ અને વિટંબણા! એક દિવસે કમઠની પત્ની અરુણાએ કમઠ અને વસુંધરાની કામક્રીડાને પોતાની આંખે જોઈ લીધી. એના મનમાં બંને પ્રત્યે ધૃણા ઉત્પન્ન થઈ ગઈ. એણે વિચાર કર્યો: “આ વાત મરુભૂતિને કહી દેવી જોઈએ. તેઓ વિરક્ત છે છતાં પણ, ઘરની પરિસ્થિતિથી એમને વાકેફ કરી દેવા જોઈએ.” એક દિવસે અરુણાએ મરુભૂતિને વાત કરી દીધી, અને કહ્યું - ‘તમને એ બંનેનો દુરાચાર પ્રત્યક્ષ બતાવીશ, તમે અચાનક જ બપોરે ઘેર આવજો.” મભૂતિનું ચિંતનઃ મરુભૂતિએ કમઠ અને વસુંધરાની પાપલીલા પ્રત્યક્ષ જોઈ લીધી. તેના મનમાં દ્વેષ નહીં પરંતુ વૈરાગ્ય પ્રબળ થઈ ગયો : "સાચે જ આ સંસાર વિષમતાઓથી ભરેલો છે. જીવોને મોહ નચાવે છે. ન કરવા જેવાં કૃત્ય મનુષ્યો પાસે કરાવે છે. ધિક્કાર છે આવા સંસારને. મારે આવા સંસારમાં નથી રહેવું પરંતુ જ્યાં સુધી હું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy