SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ પર્વ-પ્રવચનમાળા ઉપાદાનો પર થાય છે. ઉપાદાન સાર ન હોય તો નિમિત્તની સારી અસર પડતી નથી. ઉપાદાન છે આત્મા, આત્માની ઉપર કમનો ભાર વધારે હોય છે. કર્મોથી તે પૂર્ણતયા અભિભૂત થાય તો ઉત્તમ - શ્રેષ્ઠ નિમિત્તોની પણ એના ઉપર કોઈ અસર પડતી નથી. સ્વયં તીર્થકરનો ઉપદેશ સાંભળવા મળે તો પણ એ આત્મા સુધરતો નથી. કમઠની બાબતમાં પણ આવું જ બન્યું. એના આત્માની પરિણતિ જ એવી હતી. પુરોહિત વિશ્વભૂતિ તથા તેની પત્ની અનુદ્ધરા બંને ચિંતિત હતાં કમઠના કુસંસ્કારોની બાબતમાં. તેમણે વિચાર્યું કે - લગ્ન કર્યા પછી આ છોકરો સુધરી જશે.” સભામાંથી અમે લોકો પણ એવું જ વિચારીએ છીએ. મહારાજશ્રી સંસારી લોકોની વિચારવાની પદ્ધતિ સમાન જ હોય છે ને? વિશ્વભૂતિ તથા અનુદ્ધરા પણ તમારા જેવાં સંસારી જ હતાં. તેમણે મરભતિનાં લગ્ન ‘વસુંધરા નામની બ્રાહ્મણ કન્યા સાથે કર્યા અને કમઠનાં લગ્ન "અરા” નામની ભૂદેવકન્યા સાથે કર્યા. બંને પુત્રોનાં લગ્ન કર્યા પછી થોડાંક જ વર્ષોમાં વિશ્વભૂતિ અને અનુદ્ધરાનો સ્વર્ગવાસ થયો. રાજા અરવિંદે મરુભૂતિને "રાજપુરોહિત"નું પદ અર્પણ કર્યું. મરભૂતિ રાજાનો પરમ વિશ્વાસુ પુરષ બની ગયો. મરભૂતિની કાર્યદક્ષતા તેમજ ગુણવૈભવ જોઈને રાજા અરવિંદ પૂર્ણ પ્રસન્ન રહેવા લાગ્યો. સાધુ-પરિચય: મરુભૂતિ વિરક્તઃ આ બાજુ એક દિવસે પોતનપુરમાં હરિશ્ચંદ્ર નામના મુનિરાજ પધાર્યા. રાજા અરવિંદ સાધુ-સંતો પૂજક હતો. રાજપુરુષોના પરિચયે તેણે સારું તત્ત્વજ્ઞાન પs પ્રાપ્ત કર્યું હતું. રાજાએ મુનિરાજના આગમન વિશે સાંભળીને તરત જ પ્રજાને જાણ કરી દીધી. રાજા અને પ્રજા બધાં જ મુનિરાજનાં દર્શન કરવા તથા ઉપદેશ સાંભળવા નગરની બહારના ઉદ્યાનમાં પહોંચ્યા. મુનિરાજે ત્યાં કષાયત્યાગ અને વિષયવૈરાગ્ય ઉપર પ્રેરણાદાયી ઉપદેશ આપ્યો. ઉપદેશની અસર સૌથી વધારે મરુભૂતિ પર પડી. તેના દયમાં વૈરાગ્યભાવ પેદા થયો. સંસારના વૈષયિક સુખો પ્રત્યે તેનું મન ઉદાસ બની ગયું. અપાર સુખ વૈભવ પાસે હોવા છતાં પણ અનાસક્ત ભાવથી જીવવા લાગ્યો. વૈષયિક સુખો પ્રત્યે અનાસક્તિ આપતાં કષાયો સહજ રીતે મંદ પડી જાય છે. મરુભૂતિનાં ક્રોધ, માન-માયા-લોભ પણ મંદ પડી ગયા. સ્વાભાવિક છે કે વૈરાગી બનેલા મરુભૂતિથી તેની પત્ની વસુંધરાને સંતોષ મળતો ન હતો. વસુંધરા વૈષયિક Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy