SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પર્વ-પ્રવચનમાળા સંસારનો ત્યાગ ન કરું ત્યાં સુધી આ બેની પાપપ્રવૃત્તિને મારે રોકવી જોઈએ!” શું કરું?’ મરુભૂતિ ગહન વિચારમાં ડૂબી ગયો. "જો હું કમઠને કહી દઉં તો તે માનશે નહીં, ઝઘડો કરશે. વસુંધરાને કહીશ તો તે ય ઝઘડો કરશે અથવા પ્રાણત્યાગ કરી દેશે. એનાથી ઘરની બદનામી થશે. કમઠે કદીય મારી વાત માની નથી. તે તો સ્વચ્છંદી અને ઉદ્ધત બની ગયેલો છે. વસુંધરા પણ તેની સાથે સ્વૈરિણી બની ગઈ છે. મારા કહેવાનો કોઈ અર્થ નહીં રહે.” મરુભૂતિ કેટલી સ્વસ્થતાથી વિચાર કરે છે ? એનો આત્મા કેટલો સમભાવી બની ગયો હશે? સભામાંથી અમે તો આવું કુકર્મ જોતાંની સાથે જ પ્રહાર કરી દઈએ... મોટું મહાભારત રચાઈ જાય ! મહારાજશ્રી : તમે તો શું, મોટા મોટા માણસો ય આવું દ્રશ્ય જોઈને ગુસ્સે થઈ જાય ! મારવા માટે તૈયાર થઈ જાય. મામૂલી અપ્રિય ઘટના બની જતાં ય આપણે ગુસ્સે થઈ જઈએ છીએ ને! ચંચળ બની જઈએ છીએ. તો પછી આવી દુર્ઘટના બનતાં શું ન બની શકે ? સમસ્યાનો ઉકેલ સ્વસ્થ મનથી કરોઃ આવું શા માટે બને છે તે જાણો છો? લ્દયમાં વૈરાગ્ય નથી. Æયમાં વિષયરાગ ભરેલો છે. મમત્વ અને આસક્તિ ભરેલી છે. વિષયરાગથી કષાય ઉત્પન્ન થાય છે. ને મરૂભૂતિના હૃયમાં પણ વિષયરાગ હોત તો તે પણ કષાયથી... રોષથી... ક્રોધથી તમતમી ઊઠત. સંભવ છે કે તે કમઠ અને વસુંધરાને પ્રહાર કરી બેસત. આ મારામારીમાં સંભવ છે કે કમઠ પણ મરુભૂતિ ઉપર પ્રહાર કરી દેત. પરિણામ આવત સર્વનાશનું. સભામાંથી તો શું આવો દુરાચાર ચલાવી લેવો જોઈએ? મહારાજશ્રી ચાલવા દેવાની વાત નથી. વાત છે આવી ઘટનાને બુદ્ધિપૂર્વક રોકવાની. ચિત્ત શાંત થાય તો બુદ્ધિ કામ કરતી હોય છે. ક્રોધમાં બુદ્ધિ કુંઠિત બની જાય છે, જડ બની જાય છે. આવી ઘટનાઓ ઝઘડા કરવાથી વા મારામારી કરવાથી રોકી શકાતી નથી. પરંતુ એક દુર્ઘટનાથી બીજી દુર્ઘટના પેદા થાય છે. દરેક સમસ્યાને સ્વસ્થ મનથી ઉકેલવા પ્રયત્ન કરવો જોઈએ. અપ્રિય ઘટના હોય કે દુઃખદ ઘટના હોય, મનને અસ્વસ્થ - બેચેન ન બનવા દેવું જોઈએ. જો Æયમાં વૈરાગ્ય હશે તો મન સ્વસ્થ રહી શકશે. વિરક્ત દય આવી ઘટનાઓમાં ભવસ્થિતિનું ચિંતન કરશે. કર્મોના પ્રભાવનું ચિંતન કરશે. જનમ-જનમના Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy