SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ શ્રી મૌન એકાદશી પ્રવચન (૨) પરંતુ કુંડળોને બરાબર સાંધી ન શક્યા. કુંભ રાજાને રોષ આવ્યો. તેમણે તમામ સોનીઓને દેશનિકાલ કરી નાખ્યા. આ બધા સોનીઓ કાશી પહોંચ્યા. રાજા શંખ પાસે જઈને તેમણે કાશીમાં વસવાની રજા માગી. રાજાએ પૂછ્યું: "મિથિલા શા માટે છોડી?" સોનીઓએ સત્ય હકીકત જણાવી દીધી. સાથે સાથે મલ્લિકુમારીનાં પણ ભરપૂર વખાણ કર્યા. સોનીઓના મુખેથી મલ્લિકુમારીનાં વખાણ સાંભળીને રાજા શંખ મલ્લિ પ્રત્યે અનુરાગી બની ગયો. તેણે પણ મલ્લિકુમારી સાથે લગ્ન કરવા માટે નિર્ણય કર્યો અને પોતાનો દૂત મિથિલા રવાના કરી દીધો. રાજા અદીનશત્રુ કુરુદેશનો રાજા હતો અદનશત્રુ. એ મલ્લિકુમારી પ્રત્યે કેવી રીતે અનુરાગયુક્ત બન્યો એ બતાવું છું. મલ્લિકુમારીનો ભાઈ હતો મલ્લદીન. મલ્લદીન ચિત્રકળાનો રસિક જીવ હતો. તેણે એક ચિત્રશાળા બનાવી. એક ચિત્રકાર મંડળ પણ બનાવ્યું. કેટલાય ચિત્રકારો નવાં નવાં ચિત્રો બનાવવા લાગ્યા. ચિત્રશાળા અનેકવિધ ચિત્રોથી શોભવા લાગી. એક દિવસે જ્યારે મલદીન ચિત્રશાળામાં જાય છે ત્યાં મલ્લિકુમારીનું એક સંપૂર્ણ ચિત્ર જોયું. એ અભુત ચિત્ર હતું. મલ્લિદીને એ ચિત્રકારને બોલાવીને પૂછ્યું: “તેં આ ચિત્ર કેવી રીતે બનાવ્યું?" ચિત્રકારે જવાબ આપ્યો : "હું મનુષ્યનું એકાદ અંગ - ઉપાંગ જોઈને એનું સંપૂર્ણ ચિત્ર બનાવી શકું છું. મેં એક દિવસ રાજસભામાં પરદાની પાછળ બેઠેલી રાજકુમારીના પગનો અંગુઠો જોયો હતો, એના આધારે મેં આ ચિત્ર બનાવ્યું છે." રાજકુમારને આ વાત પસંદ ન પડી. તેણે એ ચિત્રકારના હાથનો અંગુઠો કાપી લીધો અને તેને દેશનિકાલ કરી નાખ્યો. એચિત્રકાર ત્યાંથી ગયો હસ્તિનાપુર. રાજા અદીનશત્રુ પાસે જઈને તેણે પોતાની વ્યથા કહી સંભળાવી. સાથે સાથે રાજકુમારી મલ્લિકુમારીના ગુણગાન કર્યા. રૂપ-ગુણની ખૂબ જ પ્રશંસા કરી. પ્રશંસા સાંભળીને રાજા મલ્લિકુમારી પ્રત્યે અનુરાગી બની ગયો. તેણે ય દૂત મોકલીને મલ્લિકુમારીનું માગું કર્યું. હવે પૂર્વજન્મનો છઠ્ઠો મિત્ર જે પાંચાલદેશનો રાજા જિતશત્રુ બન્યો હતો તે મલ્લિકુમારી પ્રત્યે અનુરાગવાળો કેવી રીતે બને છે એ જણાવું. રાજા જિતશત્રુ એક દિવસની વાત છે. મિથિલામાં "ચોખા” નામની એક પત્રિાજિકા આવી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy