SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પર્વ-પ્રવચનમાળા એ વેદોના અધ્યયનમાં પારંગત હતી. તે નગરમાં શૌચમૂલક ધર્મનો પ્રચાર કરી રહી હતી. તે મલ્લિકુમારી પાસે આવી. મલ્લિકુમારીને પણ શૌચમૂલક ધર્મ સમજાવવાનો પ્રયત્ન કરવા લાગી. મલ્લિકુમારીએ એવા પ્રશ્નો પૂછ્યા કે ચોખા નિરૂત્તર થઈ ગઈ. દાસીઓએ તેની મજાક ઉડાવી. ચોક્કખા રોષાયમાન થઈ ગઈ. તે મિથિલાથી કાંપિલ્યપુર પહોંચી. રાજા જિતશત્ર પાસે જઈને તેણે પોતાના શૌચધર્મની વાત કરી અને અંતપુરની કુશળતા પૂછી. રાજાને એક હજાર રાણીઓ હતી. રાજાએ ચોખાને અંતઃપુરમાં જવાની રજા આપી. ચોખા અંતઃપુરમાં ગઈ. જ્યારે તે બહાર આવી ત્યારે રાજાએ પૂછ્યું : "હે પરિવ્રાજિકા, તેં આવું સ્વરૂપવાન અંતઃપુર ક્યાંય જોયું છે ?" પ્રશ્ન સાંભળીને ચોક્મા હસવા લાગી. તેણે મલ્લિકુમારીના રૂપની ભરપેટ પ્રશંસા કરી. પ્રશંસા સાંભળીને જિતશત્રુ મલ્લિકુમારી પ્રત્યે અનુરાગી બની ગયો અને એની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરીને દૂત મિથિલા તરફ મોકલ્યો. આ રીતે મલ્લિકુમારી પ્રત્યે પૂર્વજન્મના છ મિત્રો અનુરાગી બની ગયા! એક દિવસે આ રાજાઓના દૂતો રાજા કુંભની રાજસભામાં પહોંચ્યા અને દરેક પોતપોતાના રાજાની ઓળખાણ આપીને મલ્લિકુમારીની માગણી કરી. છયે રાજાઓ મિથિલામાં કુંભરાજા આ દૂતોની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો! એક સાથે છ-છ દેશના રાજાઓ મલ્લિકુમારીનું માગું કરવા આવ્યા જાણીને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તે તો રોષાયમાન થઈ ગયા. દૂતોનો તિરસ્કાર કરીને તેણે બધાને નગર બહાર કાઢી મૂક્યા. દૂતોએ તો જઈને પોતપોતાના રાજાઓને વાત કરી. દરેક રાજા ગુસ્સે થઈ ગયો અને બધા રાજાઓ પોતપોતાની સેના લઈને મિથિલા પહોંચી ગયા. ગુપ્તચરોએ મહારાજા કુંભને સમાચાર આપી દીધા. મહારાજા કુંભ પણ પોતાની વિશાળ સેના લઈને યુદ્ધના મેદાનમાં આવ્યા. ભીષણ યુદ્ધ શરૂ થયું. મહારાજા કુંભે જોયું કે એક સાથે છ રાજાઓની સામે ટકવું શક્ય નથી. તે પાછા કિલ્લામાં જતા રહ્યા. કિલ્લાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. રાજાઓએ નગરને ચારેકોરથી ઘેરી લીધું. મહારાજા કુંભ ભારે ચિંતામાં ડૂબી ગયા. મલ્લિકુમારીએ કુંભરાજાને કહ્યું “પિતાજી, આપ ચિંતા ન કરો. આપ પ્રત્યેક રાજાની પાસે અલગ અલગ દૂત મોકલીને કહેવડાવો કે “તમને મલ્લિકુમારી આપીશ.” ત્યાર પછી દરેક રાજાને અલગ અલગ ગુપ્તમાર્ગથી મારા ઉદ્યાનવાળા મહેલમાં લાવજો. બસ, પછી બધું હું સંભાળી લઈશ.” Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy