SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૌન એકાદશી પ્રવચન (૨) ૨૦૩ પિશાચ તીક્ષ્ણ ખડ્ગ લઈને અર્જુનક પાસે આવીને બોલ્યો ઃ ” તારું સમ્યકત્વ છોડી દે, નહીં છોડે તો તારાં બધાં જહાજોને આકાશમાં ઉછાળી દઈશ....અને સમુદ્રમાં ડુબાડી દઈશ.” તો પણ અર્હન્નક નિર્ભય રહ્યો. વસ્ત્રથી ભૂમિપ્રમાર્જન કરીને તેણે સાગારિક અનશન લઈ લીધું. “નમુત્યુર્ણ” સૂત્રનો પાઠ કરીને તેણે પ્રતિજ્ઞા ધારણ કરી લીધી. जइणं अहं एत्तो उवसग्गातो मुञ्चामि तो मे कप्पति । पारितए, न मुञ्चामि तो मे तहा पच्चकरवाई अव्वे ॥ - જો હું આ ઉપસર્ગથી મુક્ત થઈશ તો જ અનશન છોડીશ. જો ઉપસર્ગથી મુક્ત નહીં થાઉં તો મારું પચ્ચકખાણ કાયમ રહેશે, હું અનશન નહીં છોડું. અહનકે કાયોત્સર્ગ-ધ્યાનમાં લીનતા પ્રાપ્ત કરી લીધી ! યાદ રાખો, નિર્ભય અને નિરાકુલ માણસ જ સંકટમાં ધ્યાનમગ્ન થઈ શકે છે. સભામાંથી ; અમે લોકો તો સંકટ વગર પણ ધ્યાનમાં સ્થિર નથી રહી શકતા. મહારાજશ્રી : આસક્તિ ભરી પડી છે હ્રદયમાં, પછી ધ્યાનમાં સ્થિર કેવી રીતે રહી શકો ? અનિત્યાદિ ભાવનાઓથી હ્દયને અનાસક્ત બનાવ્યા વગર ધ્યાનમગ્નતા સંભવી જ ન શકે. અર્હન્નક શ્રાવક અનાસક્ત યોગી હતા. કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં પણ સંપત્તિનું મમત્વ ન હતું ! અરે ! જીવનનો પણ મોહ ન હતો. અને એક સિદ્ધાંત સમજી લો કે જેને જીવન-મોહ હોતો નથી, તેને મૃત્યુભય પણ નથી હોતો. અર્જુન્નક મૃત્યુથી ય નિર્ભય હતા. તેમણે પિશાચરૂપધારી દેવને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : “તારે જે કરવું હોય તે કરી લે. હું સમ્યકત્વ (સમ્યક્ શ્રદ્ધા)નો ત્યાગ કરવાનો નથી." જ્યારે અર્જુનક ભયથી વિચલિત ન થયો ત્યારે પિશાચે એને લલચાવવાનો પ્રયત્ન કર્યો. હા કોઈ વાર માણસ પ્રતિકૂળતાઓ સામે દૃઢ રહી શકે છે. પરંતુ અનુકૂળતાઓ સામે ડગી જાય છે. મન ડામાડોળ થઈ જાય છે. એટલા માટે દેવે અર્હન્નકને લલચાવવા પ્રયત્ન કર્યો. પરંતુ અર્હન્નક થોડો લલચાવાનો હતો ? દેવ હારી ગયો; અર્હન્નકનો વિજય થયો. દેવે પોતાનું મૂળરૂપ ધારણ કર્યું અને અર્હન્નકની હાર્દિક પ્રશંસા કરી. દેવે અહન્નકને બે દિવ્ય કુંડળો ભેટ આપ્યાં અને ચાલ્યો ગયો. અર્હન્નક વેપાર માટે મિથિલા ગયો. ત્યાં તેણે રાજા કુંભને ઉત્તમ રત્નો ભેટ આપ્યાં અને બે દિવ્ય કુંડળો રાજકુમારી મલ્લિને પહેરવા આપ્યાં. મલ્લિએ કેટલોક Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy