SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ પર્વ-પ્રવચનમાળા ભેટ આપ્યો. દડો જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થયો. તેણે મહામંત્રીને પૂછ્યું ”આવો દડો આપે બીજે ક્યાંય જોયો છે?" મહામંત્રીએ કહ્યું "મહારાજા, જ્યારે હું મિથિલા ગયો હતો, ત્યારે ત્યાંના રાજા કુંભરાજની પુત્રી મલ્લિકુમારીની પાસે જે દડો જોયો હતો તે આ દડા કરતાં લાખ ગણો વધારે સુંદર હતો મહારાજા, એ રાજકુમારી પણ અનુપમ તેજથી શોભાયમાન છે.” મહામંત્રીએ તો સરળભાવથી મલ્લિકુમારીની પ્રશંસા કરી, પરંતુ પ્રશંસા સાંભળતાં જ પ્રતિબદ્ધ રાજા મલ્લિકુમારી પ્રત્યે અનુરાગવાન બની ગયો. તેણે તરત જ રાજદૂતને બોલાવ્યો અને સંદેશ આપ્યો “તું મિથિલા જા અને રાજા કુંભને કહેજે, કોશલપતિ આપની પુત્રી મલ્લિ સાથે લગ્ન કરવા માગે છે.” દૂત સંદેશ લઈને મિથિલા તરફ રવાના થઈ ગયો. જુઓ જન્મજન્માન્તરના સંસ્કારોનો કેવો પ્રભાવ હોય છે ! રાજા પ્રતિબુદ્ધ મલ્લિકુમારીને જોઈ નથી. માત્ર પ્રશંસા જ સાંભળી અને અનુરાગી બની ગયો ! આવી જ સ્થિતિ અંગદેશના રાજા ચંદ્રચ્છાયની બની! રાજા ચંદ્રચ્છાયઃ એ સમયે અંગદેશની રાજધાની હતી ચંપાનગરી. ચંપાનગરીમાં એક કરોડપતિ શ્રાવક હતો. તેનું નામ હતું અહંનક. અહનક જેવો શ્રીમંત હતો તેવો જ ધીમંત અને શ્રદ્ધાવંત હતો. પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે તેમના દ્ધયમાં અનન્ય શ્રદ્ધા હતી. એની અવિચળ ધર્મશ્રદ્ધાની પ્રશંસા દેવલોકમાં ઇન્દ્ર પોતાની સભામાં કરી. એ કાળ તીર્થંકરોનો હતો. એ કાળમાં દેવ-દેવેન્દ્રો આ દેશમાં આવતા-જતા હતા. ઉત્તમ-શ્રેષ્ઠ ભાવવાળા મનુષ્યોને દેવદર્શન સુલભ રહેતાં હતાં. જિનશાસનને સમર્પિત મહામના પુરુષોની પ્રશંસા દેવ-દેવેન્દ્ર પણ કરતા હતા. અહંનક શ્રાવકની પ્રશંસા દેવસભામાં બેઠેલા એક દેવને ન ગમી. તેણે અહંન્નકની કસોટી કરવાનો વિચાર કર્યો. અહંન્નક શ્રાવકની કસોટી: અહંનક શ્રાવકનો વેપાર સમુદ્રમાર્ગે ચાલતો હતો. હજારો જહાજોની સાથે અહંન્નક સમુદ્રમાર્ગથી જતો હતો. તે પોતાના જહાજમાં સ્વસ્થ રીતે બેઠો હતો. અચાનક સમુદ્રમાં તોફાન આવ્યું. સમુદ્રમાં મોજાં ગર્જના કરીને ઊછળવા લાગ્યાં; અને ભયંકર રૌદ્રરૂપી પિશાચ સમુદ્રમાં પ્રકટ થયો. બધા જ નાવિકો, રક્ષકો વગેરે ભયભીત થઈ ગયા.... કંપવા લાગ્યા. પરંતુ અહંન્નક જરાય વિચલિત ન થયો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy