SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ ૧૯૫ મૃત્યુથી સુવ્રત નિર્ભય બની ગયા. નિર્ભય બનાવનારાં બે તત્ત્વો હતાં – અમૃત સમાન જિનવચનની પ્રાપ્તિ, અને સદ્ગતિના માર્ગની પ્રાપ્તિ. એ મહામુનિને અમૃત સમાન લાગ્યું હતું જિનવચન ! જિનવચનોના મનન-ચિંતન-અનુશીલનથી તેમણે અમૃતનો આસ્વાદ કર્યો હતો. તે જાતે જ અમૃતમય બની ગયા હતા એમને કષાયોનું ઝેર કેવી રીતે અસર કરી શકે? ઉપસર્ગ કરનારા વ્યંતરદેવ ઉપર તેમના મનમાં રજમાત્ર પણ રોષ પેદા થયો ન હતો. જીવન અને મૃત્યુ સમાન જ પ્રતિભાષિત થયાં. જીવનનો મોહ ન રહ્યો. મૃત્યુનો ભય ન રહ્યો. સમતાયોગી બન્યા અને ચારે ઘાતી કર્મો (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અને અંતરાય) નો ક્ષય કરીને તે કેવળજ્ઞાની બની ગયા, વીતરાગ બની ગયા. પૂર્ણ પુરુષ બની ગયા. "મૌન એકાદશી” સાથે સુવ્રતનું નામ એવું તો જોડાયેલું છે કે કદીય અલગ થઈ શકે તેમ નથી. સુવ્રતનું જીવનચરિત્ર ઉચ્ચતમ પ્રેરણાનો સ્ત્રોત છે. જો જીવાત્મામાં પ્રેરણા પામવાની યોગ્યતા હોય તો સુવ્રતના જીવનચરિત્રમાંથી અપૂર્વ પ્રેરણા મળી શકે છે. હવે આજના દિવસનાં ત્રણ કલ્યાણકો છે તે મલ્લિનાથ તીર્થંકરનું રોમાંચક જીવનચરિત્ર પણ સંભળાવવું છે. ૨૪ તીર્થકરોમાંથી આ એક જ સ્ત્રી-તીર્થંકર છે. આજ બસ, આટલું જ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy