SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ ૧૯૩ આગ ઉપર ચિંતનઃ સુવ્રત અને તેમની અગિયાર પત્નીઓના મનમાં કોઈ ગ્લાનિ નથી, ઉદાસીનતા નથી. આ રીતે આગ લાગવી, એમને સ્વાભાવિક લાગે છે. ભૌતિક પદાર્થોની ક્ષણિકતા, અનિત્યતા, ક્ષણભંગુરતાથી તેઓ સુપરિચિત હતા. ચિંતન કરે છે - "કાલે ચોરીનો બનાવ બન્યો, આજે આગ લાગી. જો કે બધી સંપત્તિ બચી ગઈ. પરંતુ આ ઘટનાઓ મને જાગૃત કરવા તો નથી બનીને? મારે ગૃહવાસનો ત્યાગ કરવો જોઈએ. ચારિત્રધર્મનો સ્વીકાર કરીને મારે કર્મક્ષયનો પુરુષાર્થ કરવો જોઈએ. મારા પરમ સૌભાગ્યથી મને પરમ કરુણાવંત પરમાત્મા જિનેશ્વરદેવનું શાસન મળ્યું છે. માનો કે ભવસાગર તરવા માટેની નૌકા મળી છે ! હવે મારે ભવસાગરમાં ડૂબવું નથી. હું સંયમધર્મ સ્વીકારીશ તો મારી સાથે અગિયાર પત્નીઓ પણ સંયમધર્મ સ્વીકારશે. તે પણ કર્મક્ષય કરીને મુક્તિ પામશે. પરમ સુખ આનંદ પામી શકશે. હવે મારે શા માટે વિલંબ કરવો જોઈએ? ના, હવે તો મારે શીધ્રાતિશીધ્ર ચારિત્રધમ સ્વીકારી લેવો જોઈએ.” આ રીતે સુવતે વિચાર કર્યો અને પોતાની પત્નીઓને કહ્યું : પત્નીઓ પણ ભીતરથી તો વિરકત હતી જ ! ચોરી અને આગની બે ઘટનાઓએ તેમને હચમચાવી નાંખી હતી. વિશેષમાં, તે બધી જ પત્નીઓ, પતિના નિર્ણયનો સહર્ષ સ્વીકાર કરનારી હતી. ચારિત્રધર્મનો સ્વીકાર કરવા બધી પત્નીઓ તૈયાર થઈ ગઈ. સુવ્રત પરિવાર સાથે ચારિત્ર લે છે? આચાર્ય જયશેખરસૂરિજીની પાસે સુવતે સપરિવાર ચારિત્રધર્મનો સ્વીકાર કરી લીધો. શ્રી જયશેખરસૂરિજી ચાર જ્ઞાનના ધારક હતા. (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન) સુવ્રતની અગિયાર પત્નીઓએ ચારિત્રધર્મ સ્વીકારીને એ દિવસથી એક મહિનાના ઉપવાસ શરૂ કરી દીધા. જેમ કે તેમને માટે અનશન થઈ જ ગયું. એક માસના ઉપવાસ કરીને, સર્વ કર્મોનો ક્ષય કરીને તે સર્વે સિદ્ધ-બુદ્ધ બની ગઈ. સુવ્રતની પહેલાં સુવ્રતની પત્નીઓએ મુક્તિ મેળવી લીધી. મહાત્મા સુવતે તેમના સાધુજીવનમાં ખૂબ જ તપશ્ચર્યા કરી. તેમણે એક વાર છ માસના ઉપવાસ કર્યા, ચાર વાર ૪-૪ મહિનાના અને ૧૦૦ અમ કરી, ૨૦૦ છઠ્ઠ (બેલા) કર્યા. ઘોર પીડામાં અમૃતચિંતનઃ એક દિવસે એક વ્યંતરદેવે એક સાધુની શારીરિક વેદના સુવ્રતના શરીરમાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy