SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ પર્વ-પ્રવચનમાળા * કોઈ મોટો અપરાધ નહીં, નાનકડી ચોરી જ કરી હોય. તમારાં બે રૂપિયાનાં સ્લીપ૨ લઈ ગયો હોય, અને એ પણ તમે બે માસ પહેર્યાં હોય, તે ચોર જો પકડાઈ જાય તો તમે શું કરો ? સભામાંથી : તે કમજોર હોય તો અમે એને માર્યા વગર ન છોડીએ... ! મહારાજશ્રી : હવે તમે સુવ્રત શ્રેષ્ઠીની કરુણાનો વિચાર કરો. કેમ એના ઉપર શાસનદેવીની કૃપા થઈ અને શા માટે તમારી ઉપર કોઈ યક્ષ-રાક્ષસની ય કૃપા નથી થતી : સમજી ગયા ને ? સુવ્રતના હૃદયમાં સંસારના કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ ન હતો, શત્રુતા ન હતી અને દુઃખી-પાપી જીવો પ્રત્યે અત્યંત કરુણા હતી. અપરાધી મનુષ્યો પ્રત્યે પણ મનમાં રોષ ઉત્પન્ન થતો ન હતો. આ એક મોટી વાત છે; અને આ વાતનું રહસ્ય છૂપાયું હતું એના અનાસક્તિ ભાવમાં ! એ અનાસક્ત યોગી હતા. અનાસક્ત પુરુષ જ રાગદ્વેષની તીવ્રતાથી બચી શકે છે. એક વાત ન ભૂલો કે સુવ્રત સંસારી હતા. એમને ઘર હતું, પિરવાર હતો. તમે લોકો વાતવાતમાં... "અમે તો સંસારી છીએ... અમારે ઘરબાર છે... અમારે તો દરેક વાતમાં વિચારવું પડે છે.” એવી વાત કરો છો ને ? એવી વાતો કરીને તમે તમારો મમત્વભાવ, આસક્તિભાવ ટકાવી રાખો છો. પાપોને કર્તવ્યરૂપ માનીને પાપોથી નિર્ભય અને નિશ્ચંત બની ગયા છો. સાચી વાત છે ને ? જ્ઞાનવૃષ્ટિ ખુલતાં સાધુ હોય યા ગૃહસ્થ હોય, ભૌતિક સુખો પ્રત્યે અનાસક્તિનો ભાવ અને જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ જાગૃત થયા સિવાય રહેતો નથી. જ્ઞાનવૃષ્ટિ ખુલવી જોઈએ. તે ન ખુલે તો એ સાધુ હોય યા સંસારી હોય, આસક્તિનો ભાવ અને શત્રુતાનો ભાવ રહેવાનો જ. સુવ્રતની હવેલીમાં આગ ઃ ન મૌન એકાદશીની આરાધના કરતાં કરતાં સુવ્રત શ્રેષ્ઠીની જ્ઞાનવૃષ્ટિ ખૂલી ગઈ હતી. સંસારનું વાસ્તવિક સ્વરૂપ તેમણે જાણી લીધું હતું. જ્ઞાનના પ્રકાશમાં જ તેઓ દરેક ઘટનાને, દરેક પ્રસંગને જોતા હતા. બીજે જ દિવસે (ચોરી થઈ તેના પછી) સુવ્રતની હવેલીમાં આગ લાગી ગઈ અચાનક ! પરંતુ ન કોઈ જાનહાનિ થઈ કે ન તો ધનહાનિ થઈ ! સુવ્રત સરસ રીતે બચી ગયા. દૈવી કૃપા વગર આ સંભવ ન હતું. પૂરી શૌરીનગરી જાણે કે આગ બુઝાવવા એકઠી થઈ ગઈ હતી. સુવ્રતનું બધું જ બચી જવાથી નગ૨વાસી લોકો સુવ્રતનાં મુક્તકંઠે વખાણ કરતાં હતાં, સુવ્રતનાં ગુણગાન ગાતાં હતાં, સુવ્રતની એકાદશીનો મહિમા ગાતાં હતાં : પરંતુ સુવ્રત શ્રેષ્ઠી ગંભીર હતા, ઊંડા ચિંતનમાં ડૂબી ગયા હતા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy