SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ ૧૯૧ અને શૂળી ઉપર ચડી જશે." સુવ્રત વિચારતા જ હતાં તેટલામાં તો કોટવાલ ત્યાં આવી પહોંચ્યા. ચોરોને પકડી લીધા. કોટવાલે ચોરોને કહ્યું "અરે દુષ્ટો, તમને કેવી પાપબુદ્ધિ સૂઝી કે તમે ધમત્મિા સુવ્રત શ્રેષ્ઠીના ઘેર ચોરી કરવા આવ્યા? એની સજા હશે તમારો વધ !” સુવ્રત શ્રેષ્ઠીનું દય કંપવા લાગ્યું: "અરે રે ! મારા ધનના નિમિત્તે આ ચોર બિચારા માર્યા જશે... ધિક્કાર છે આવી ધન-સંપત્તિને... ગમે તેમ કરીને તેઓ બચી જાય તો તેમને ખૂબ ધન આપીને ચોરીના પાપમાંથી મુક્ત કરાવી દઉં.” શાસનદેવીએ સુવતના શુભ આશયને જાણી લીધો. કોટવાલ સહિત સર્વ નગરરક્ષકો પણ ત્યાં જ તંભિત કરી દીધા. પ્રભાત થઈ જ ગયું હતું. હવેલીની સામે હજાર-બે હજાર સ્ત્રીપુરુષો એકઠાં થઈ ગયાં. દરેકને આશ્ચર્ય થતું હતું. બધાં સુવ્રત શ્રેષ્ઠીની પ્રશંસા કરતાં હતાં. મહારાજા પાસે સમાચાર પહોંચી ગયા. મહારાજા જાતે જ સુવ્રતને ત્યાં પધાર્યા. સુવતે મહારાજાનું સ્વાગત કર્યું : “સુતે કહ્યું : "મહારાજા, આપ આ ચોરોને અભયદાન આપવાની કૃપા કરો. ફરીથી આ લોકો ચોરી નહીં કરે, એમને ચોરીનું પાપ ન કરવું પડે એટલું ધન હું તેમને આપીશ.” સુવ્રતના આગ્રહથી મહારાજાએ ચોરોને અભયદાન આપ્યું. તેમને બંધનમુક્ત કર્યા. શાસનદેવીએ સૈનિકોને મુક્ત કર્યા. સુવતે ચોરોને પુષ્કળ ધન આપ્યું અને તેમને છોડી મૂકયા. રાજાએ સુવ્રતને ખૂબ ધન્યવાદ આપ્યા. સુવ્રત: અનાસક્ત યોગી: બસ, આ ઘટનામાંથી બે બાબતો સ્પષ્ટ થઈ ને? ધનમાલ પ્રત્યે વૈરાગ્ય અને જીવ પ્રત્યે કરુણા. જો ધનસંપત્તિ માટે રાગ-અનુરાગ હોત તો પ્રવાતે ચોરોને જોતાં જબરાડા પાડવાની શરૂઆત કરી દેવામાં આવત, નગરરક્ષક આવે ત્યારે તરત જ ફરિયાદ આપીને ચોરોને પકડાવી દેવામાં આવત. ચોરોને વધની શિક્ષા થતાં ખુશ થાત ! પરંતુ સુવતે આવું કશું ન કર્યું. તેમના મનમાં ચોરો માટે પણ દયાભાવ ઉત્પન્ન થયો. ભવિષ્યમાં તેઓ ચોરી ન કરે એટલા માટે તેમને પુષ્કળ ધન આપ્યું. દયાભાવ વગર આ શક્ય છે? એ પણ અપરાધી પ્રત્યે દયા ! પાપી પ્રત્યે દયા! અંતરાત્માની સાક્ષીએ વિચાર કરો. * જે નિરપરાધી છે, જેણે તમારો એક પણ અપરાધ કર્યો નથી, તેના પ્રત્યે પણ તમારા દયમાં મૈત્રીભાવ યા કરુણાભાવ છે? Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy