SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ તપશ્ચર્યા હોય ! ભાવનાઓ વગર બધું જ અર્થહીન છે, બેકાર છે. સુવ્રત શ્રેષ્ઠી આ ભાવનાઓના ચિંતનથી - મમત્વ રહિત બન્યા હતા. જિનવચનોમાં શ્રદ્ધાવાન બન્યા હતા "હું એકલો છું” - એ વાત સમજી ગયા હતા. "અન્ય કોઈ મારું નથી” આ વાત ગળે ઊતરી ગઈ હતી. "શરીર અપવિત્રતાથી ભરેલું છે” એ વિચારીને શરીર પ્રત્યે પણ મમત્વ રહિત બની ગયા હતા. સંસારના સંબંધો પ્રત્યે અનાસકત બન્યા હતા. આત્મા અને કર્મના અનાદિ સંબંધો જાણી ગયા હતા. કર્મોના બંધનોથી બચવાનો ઉપાય પણ જાણી લીધો હતો. – કર્મોને તોડવાના ઉપાયો પણ જાણતા હતા. ચૌદ રાજલોકનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. ધર્મના પ્રભાવોને જાણી ચૂકયા હતા. - ૧૮૯ સમ્યગ્દર્શન પામ્યા હતા. બાર ભાવનાઓનું હૃદયસ્પર્શી ચિંતન કરનારાઓનું જીવન, તેમનું વ્યક્તિત્વ આ વાતોથી ભર્યુંભર્યું બની જાય છે. તેઓ આ વેદનાભર્યા સંસારમાં પણ વ્યથારહિત જીવન જીવે છે. દુઃખપૂર્ણ સંસારમાં સુખશાન્તિમય જીવન પસાર કરે છે. મૌન એકાદશીની આરાધનાની સાથે સાથે ભાવનાઓના ચિંતનની વાત જ્ઞાની પુરુષોએ અતિ મહત્ત્વની બતાવી છે. આ વાતને પ્રાયઃ તમે લોકો ભૂલી ગયા છો. તેના ફળસ્વરૂપે તમે બાહ્ય ધર્મક્રિયાઓ કરવા છતાં પણ અશાન્ત, વ્યથિત, અને બેચેન રહો છો. જે રીતે દુનિયામાં લોકો સારી વાત સાંભળીને, જાણીને અનુમોદના કરે છે, અનુસરણ કરે છે, એ રીતે એ વાતનો ખોટો ફાયદો પણ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. જેવી વ્યક્તિની દૃષ્ટિ ! ચોરોની એક ટોળીએ સુવ્રતની હવેલીમાં અગિયારસના દિવસે ચોરી કરવાની યોજના બનાવી. ચોરોએ જાણકારી મેળવી લીધી હતી કે સુવ્રતની હવેલીમાં કોઈ ચોકીદાર નથી. અને સુવ્રત રાતભર ધર્મધ્યાનમાં નિમગ્ન રહે છે. કોઈ રોકટોક કરનારું નથી...!" સભામાંથી : સુવ્રત શ્રેષ્ઠી સિવાય એમની અગિયાર પત્નીઓ તો હતી ને ? Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy