SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ શ્રીકૃષ્ણ મહારાજા ભગવાન નેમિનાથજીને કહે છે: જગપતિ! ચારિત્રધર્મ અશકત, રક્ત. આરંભ-પરિગ્રહે, જગપતિ ! મુજ આતમ ઉદ્ધાર, કારણ તું જ વિણ કુણ કહે ? ભગવાન નેમિનાથ શ્રીકૃષ્ણને કહે છે નરપતિ! ઉજ્જવળ માગશર માસ, આરાધો એકાદશી. નરપતિ! એકસો પચાસ કલ્યાણતિથિ ઉલ્લાસી.... નરપતિ! મૌનપણે ઉપવાસ, દોઢસો જપમાળા ગણો, નરપતિ ! મન-વચન-કાય પવિત્ર, ચરિત્ર સુણો સુવ્રત તણ.. બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ દ્વારિકામાં પધાર્યા હતા. એ સમયે ભારતની રાજધાની દ્વારિકા હતી. શ્રીકૃષ્ણ ભારતના સમ્રાટ હતા, વાસુદેવ હતા, શ્રીકૃષ્ણ ભગવાન નેમિનાથનું અપૂર્વ ઉલ્લાસથી દ્વારકામાં ભવ્ય સ્વાગત કર્યું. નગરના બાહ્ય પ્રદેશમાં દેવોએ સમવસરણની ભવ્ય રચના કરી, સમવસરણમાં બિરાજીને ભગવાને ધમદશના આપી. ધમદશના સાંભળ્યા પછી શ્રીકૃષ્ણ વિનયપૂર્વક ભગવાનને પૂછયું "ભગવંત, હું સંસારનો ત્યાગ કરીને સાધુજીવન જીવવા માટે સમર્થ નથી. માનું છું કે સર્વવિરતિમય શ્રમણ-જીવન શ્રેષ્ઠ છે. ચારિત્રધર્મના પાલન સિવાય મોક્ષ પામવા માટે બીજો કોઈ માર્ગ નથી, પરંતુ પ્રભુ ! હું તો અસંખ્ય પાપારંભોમાં.. અને પરિગ્રહમાં આકંઠ ડૂબેલો છું. હે નાથ, મારા આત્માનો ઉદ્ધાર કેવી રીતે થશે? અનંત અનંત કર્મોનાં બંધનો કેવી રીતે તૂટશે? આપના સિવાય બીજું કોણ મારા આત્માના ઉદ્ધારનો ઉપાય બતાવી શકે તેમ છે? પ્રભુ. હું આપનો છું... આપ મારા સર્વસ્વ છો. માટે વર્ષમાં એક દિવસ એવો બતાવવાની કૃપા કરો.. કે જેથી હું એ સર્વશ્રેષ્ઠ દિવસે અપૂર્વ ધર્મઆરાધના કરીને આત્મકલ્યાણ કરી શકું. પ્રતિદિન તો હું ધર્મઆરાધના કરી શકું નહીં." ભગવાને કહ્યું “રાજનું વર્ષમાં એવો સર્વશ્રેષ્ઠ દિવસ આવે છે તે છે માગશર શુકલ એકાદશીનો. આ એક જ દિવસમાં તીર્થકરોનાં ૧૫૦ કલ્યાણકો આવે છે. આજે છે ૧૫૦ કલ્યાણકઃ આજના દિવસે ૧૫૦ કલ્યાણકો કેવા પ્રકાર હોય છે એ પહેલાં બતાવવા માગું છું. ધ્યાનથી સાંભળો અને સમજો. * પહેલાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ત્રણ તીર્થકરોનાં પાંચ કલ્યાણકો સાંભળો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy