SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ * ૧૮મા તીર્થંકર શ્રી અરનાથનું આજે દીક્ષાકલ્યાણક છે. * ૧૯મા તીર્થંકર શ્રી મલ્લિનાથનું આજે જન્મ-દીક્ષા અને કેવળજ્ઞાન-ત્રણ કલ્યાણકો છે. પૂર્વ-પ્રવચનમાળા * ૨૧મા તીર્થંકર શ્રી નેમિનાથનું આજ કેવળજ્ઞાન કલ્યાણક છે. ભવિષ્યમાં આ ભરતક્ષેત્રમાં થનારી ચોવીસીના ત્રણ તીર્થંકરો-ચોથા સ્વયંપ્રભુ, છઠ્ઠા દેવપુત્ર, સાતમા ઉદયનાથનાં પણ પાંચ કલ્યાણકો આજના દિવસે છે. આ વાત થઈ આપણે જયાં રહીએ છીએ તે ભરતક્ષેત્રની પરંતુ આવાં ચાર ક્ષેત્રો છે પૃથ્વી ઉપર, એવું આપણા ધર્મગ્રંથોમાં લખ્યું છે. દરેક ભરતક્ષેત્રમાં ચોવીસચોવીસ તીર્થંકરો થાય છે. પાંચ ભરતક્ષેત્રના પંદર તીર્થંકરોનાં પંચોતેર કલ્યાણકો થયાં ને ? એવાં પાંચ ”ઐરવત” નામના ક્ષેત્રમાં છે. ત્યાંના પણ પંદર તીર્થંકરોનાં પંચોતેર કલ્યાણકો થાય છે. આ રીતે આજના દિવસે ૧૫૦ કલ્યાણકો છે. વર્ષમાં આવો બીજો એકે દિવસ નથી કે જેમાં આટલાં બધાં કલ્યાણકો આવતાં હોય. એટલા માટે માગશર શુક્લા એકાદશીનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. મૌન એકાદશી : આજ ૧૫૦ કલ્યાણકોની ૧૫૦ માળા ગણવાની હોય છે. મૌન રહ્યા સિવાય આટલી માળા કેવી રીતે ગણી શકાય ? માળાજાપ સિવાય આજ મોટું દેવવંદન પણ કરવાનું હોય છે. સવારે અને સાંજે પ્રતિક્રમણ કરવાનું હોય છે. ઉપવાસનો તપ કરવાનો હોય છે. આજે મૌન રહેવાનું છે. મૌનનો અર્થ "બોલવું નહીં" એટલો જ નથી. "પુદ્ગલભાવોમાં પ્રવૃત્તિ ન કરવી. આ મૌનનો રહસ્યાર્થ છે. મનથી પુદ્ગલ ભાવોના વિચાર નથી કરવાના. વચનથી પુદ્ગલના ભાવોની વાતો નથી કરવાની. કાયાથી એટલે કે પાંચે ઇન્દ્રિયોથી પુદ્ગલ ભાવોમાં પ્રવૃત્તિ કરવાની નહીં. તાત્પર્ય એ છે કે પુદ્દગલ ભાવોથી નિવૃત્ત થઈને આત્મભાવમાં રમણતા કરવાનું આ મહાપર્વ છે. તીર્થંકર ભગવાનનાં કલ્યાણકોના માધ્યમથી આત્મસ્વરૂપમાં રમણતા કરવાનો અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસ માત્ર આજના દિવસે જ નથી ક૨વાનો. દરેક માસની શુકલા એકાદશીના દિવસે ક૨વાનો છે. શ્રીકૃષ્ણ મહારાજા માટે ભલે વર્ષમાં એક દિવસ હોય, પરંતુ આપણા માટે વર્ષમાં બાર દિવસો આવશ્યક છે. કારણ કે કૃષ્ણ મહારાજા તો ક્ષાયિક સમકિતી હતા. તે દૃઢ શ્રદ્ધાવાન હતા, જ્ઞાનવાન હતા, અનેક મૌલિક ગુણોના ધારક હતા. તેમની ત્રણ પ્રતિજ્ઞાઓ જાણો છો ? Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy