SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્તિક-પૂર્ણિમા પ્રવચન ૧૮૧ અહીં રહીશું. આપની કૃપાથી અમે અવશ્ય પાપમુક્ત બનીશું. આજથી અમે બધા એક માસના ઉપવાસનો સંકલ્પ કરીએ છીએ.” એ બે વિદ્યાધર મુનિરાજો આકાશમાર્ગથી ચાલ્યા જાય છે. દ્રાવિડ-વારિખીલ્ય વગેરે ૧૦ કરોડ મુનિવરો ગિરિરાજ ઉપર યુગાદિદેવના ધ્યાનમાં મગ્ન થઈને ઊભા રહ્યા. ગિરિરાજના ઉત્તમ ક્ષેત્રના પ્રભાવથી તેમનું મન ધ્યાનમગ્ન થઈ ગયું ! ક્ષેત્રનો જ પ્રભાવ માનવો પડશે. અન્યથા તેમણે ધ્યાનના વિષયમાં કયાં વાંચ્યું હતું યા તો શીખ્યા હતા ? ધર્મધ્યાનમાં નિમગ્ન થઈને, તેમણે શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો. ઘાતી કર્મોનો ક્ષય કર્યો. અઘાતી કર્મોનો પણ ક્ષય કર્યો... અન્તર્મુહૂર્ત કાલમાં દશ કરોડ સાધુઓની સાથે દ્રાવિડ અને વારિખીલ્યે સિદ્ધગતિ પ્રાપ્ત કરી લીધી. એ દિવસ હતો કાર્તિક પૂર્ણિમાનો ! આકાશમાં ચંદ્ર કૃત્રિકા નક્ષત્રમાં આવ્યો હતો... પેલો હંસ... જે મરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયો હતો એણે અવધિજ્ઞાનથી દશ કરોડ મુનિઓ સાથે દ્રાવિડ-વારિખીલ્યની મોક્ષયાત્રા જોઈ. તે ગિરિરાજ ઉ૫૨ આવ્યો અને ભવ્ય નિર્વાણ-મહોત્સવ મનાવ્યો. કાર્તિક પૂર્ણિમાનો મહિમા ઃ કાર્તિક પૂર્ણિમાના દિવસે જયારે પણ શત્રુંજય ગિરિરાજની યાત્રા કરતા જાઓ ત્યારે એ ગિરિરાજના ઉત્તુંગ શિખર ઉપર ઊભા રહીને થોડી ક્ષણો આંખો બંધ કરીને એ મહાનુભાવોને સ્મૃતિપથમાં લાવજો. તેમના જીવન-પરિવર્તનની ઘટનાને જો જો. એમને ધ્યાનસ્થ દશામાં ઊભા રહેલા જો જો. ભાવપૂર્વક તેમને વંદના કરજો. આ મહાપુરુષોની આટલી જલ્દી મુક્તિ કેવી રીતે થઈ ? ઉદ્ભવે છે ને ? એનું એક જ મુખ્ય કારણ છે, અને તે છે તેમની સરળતા, તેમને મુક્તિ સિવાય કશું ય જોઈતું ન હતું. અન્ય કોઈ ઇચ્છા જ ન હતી. આ પ્રશ્ન મનમાં આજના દિવસનું મહત્ત્વ એ દૃષ્ટિથી છે. એ રીતે કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની આજે જન્મતિથિ છે, એ દૃષ્ટિથી પણ આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. આજે એ મહાપુરુષના જીવનનું કથન કરવાનો, તેમની અદ્ માંચિત વાતો કરવાનો, તેમના દ્વારા કરવામાં આવેલા અહિંસાપ્રવર્તનની અપૂર્વ વાત કરવાનો અને તેમના દિવ્ય ચમત્કારોની વાતો કરવાનો સમય નથી. ભવિષ્યમાં આ બધી વાતો કોઈકવાર સંભળાવીશ. આજ બસ, એટલું જ. Jain Education International 2010_03 For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy