SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આષાઢ-ચાતુમાસિક પ્રવચન એટલા માટે કહું છું કે જે પાપ તમે કરતા જ નથી, તે પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરો. સાત મહાવ્યસનોનો ત્યાગ તો કરવો જ જોઈએ. ૧. માંસાહાર, ૨. શરાબ, ૩. શિકાર, ૪. જુગાર, ૫. ચોરી, ૬, પરસ્ત્રી, અને ૭. વેશ્યાગમન. આ સાત વ્યસનો માત્ર ચાતુર્માસ માટે જ નથી છોડવાનાં, જીવનપર્યત આ પાપોનો ત્યાગ કરવો જોઈએ. એ રીતે માખણ અને મધનો પણ જીવનભર ત્યાગ કરવો જોઈએ. રાત્રિભોજન, જમીનકંદ-કંદમૂળનો અને વાસી ભોજનનો પણ જીવનપર્યત ત્યાગ કરી દેવો જોઈએ. માંસાહાર : વિશ્વના તમામ ધર્મોએ માંસાહારનો નિષેધ કર્યો છે, એટલું જ નહીં, વિશ્વના પ્રસિદ્ધ ડૉક્ટરો પણ માંસાહારનો નિષેધ કરે છે. વૉશિંગટનના ડૉક્ટર Alvin E. Adamse (M.D.) કહે છે કે માંસભક્ષણથી આંતરડાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. પશુઓનો વધ કરતી વખતે તેમનામાં રહેલું યૂરિક એસિડ-વિષ, અન્ય ત્યજવા જેવા પદાર્થો તથા રક્તના નિસાર પદાર્થો વગેરે માંસમાં ભળી જાય છે. તેમને શરીરમાંથી બહાર કાઢવા માટે મૂત્રપીંડોને ખૂબ વધારે બોજ ઉપાડવો પડે છે, એને કારણે ત્યાં પથરી (Stone) થવાની સંભાવના વધી જાય છે. ઈગ્લેંડના પ્રસિદ્ધ ડૉક્ટર William Henry talbot કહે છે: “માંસ એક તેજાબયુક્ત ભોજન છે. મોતથી ડરવાને લીધે તેમ જ દુઃખને કારણે પશુનું માંસ વધારે તેજાબવાળું બની જાય છે. એવા ઝેરી માંસને આરોગનારા મૂર્ણ છે. અને પોતાના પેટને જાનવરોનું કબ્રસ્તાન બનાવે છે.' આજકાલ ઉચ્ચ વર્ગના લોકો પણ માંસાહાર કરવા લાગ્યા છે. ઈંડા ખાવાં એ તો યુવકોમાં સામાન્ય વાત થઈ ગઈ છે. “શાકાહારી' ઈડાંનો પ્રચાર પણ જોશપૂર્વક થઈ રહ્યો છે. મૂર્ખલોકોને ભ્રમિત કરવા માટેના અનેક ઉપાયો અજમાવવામાં આવે છે. તમે લોકો સાવધાન રહેજો. રસનેન્દ્રિયને આધીન ન બનો. શક્તિ મેળવવાની ભ્રમણામાંથી મુક્ત થજો. મહાનું શક્તિશાળી હાથી માંસાહાર નથી કરતો. શક્તિશાળી ઘોડો પણ માંસાહાર નથી કરતો. અનાજમાં અને વનસ્પતિમાં સર્વ પ્રકારનાં પોષક તત્ત્વો રહેલાં છે. એટલા માટે કહું છું કે માંસાહાર ન કરવાની આજીવન પ્રતિજ્ઞા કરી લેવી જોઈએ. શરાબ: Wine leads to heart failure, cancer, T.B. and Vomiting of blood. શરાબથી હાફિલ, કેન્સર, ટી.બી. અને લોહીની ઊલટી પણ થાય છે. શરાબમાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy