SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-પ્રવચનમાળા વિશ્વમાં જેટલા વધ થાય છે જીવોના, અને જેટલી શરાબ બને છે, એ પાપોમાં તમારી અનુમોદના-અવ્યક્ત અનુમોદના રહે જ છે. એટલા માટે તમને પાપ લાગતું રહે છે. આ વાત તમને બે ઉદાહરણો દ્વારા સમજાવું છું ૧. તમારી દુકાન ભાગીદારીમાં ચાલે છે. તમે બે ભાગીદાર છો. તમારું સ્વાથ્ય બગડ્યું. ડૉક્ટરે તમને હિલસ્ટેશન પર આબુ, મહાબળેશ્વર યા ઉટી જવાનું કહ્યું. તમે હિલસ્ટેશન ઉપર ચાલ્યા ગયા. આ બાજુ તમારી દુકાનમાં તમારા પાર્ટનરે ધંધામાં એક લાખ રૂપિયાનું નુકસાન કર્યું. શું એ નુકસાનીમાં તમારી પાર્ટનરશીપ' નહીં ગણાય? નુકસાન તમે નથી કર્યું, તમને તો ખબર પણ નથી. સભામાંથી પાર્ટનરશીપ’ ચાલુ રહેવાથી લાભ-નુકસાન બંનેને રહેશે. મહારાજશ્રી એ રીતે આપણે સહુ આ દુનિયામાં પાર્ટનર’ છીએ. અનંત અનંત જીવોની પાર્ટનરશીપ'માં આ દુનિયા ચાલે છે. દુનિયાની દરેક વાતમાં, દરેક વસ્તુમાં આપણી “પાર્ટનરશીપ' છે એટલે કે જે જે વાતમાં આપણી અનુમોદના રહે છે, એ સર્વે કાર્યોમાં આપણે ભાગીદાર બની જઈએ છીએ. તમારે માંસાહારના પાપથી બચવું હોય તો તમારે પ્રતિજ્ઞાપૂર્વક માંસાહાર છોડવો પડશે. પછી દુનિયામાં ગમે તેટલાં કતલખાનાં ચાલતાં હશે તો પણ તમને દોષ નહીં લાગે. તમારી જવાબદારી પૂર્ણ થઈ ગઈ. એ પાપોમાં તમારી અનુમોદના રહી નથી. જેમ હિલ સ્ટેશન પર જતા પહેલાં તમે પાર્ટનરને કહી દીધું હોય કે જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી નફા-નુકસાનમાં મારો ભાગ નહીં રહે.” તે પછી ગમે તેટલું નુકસાન કરે તો પણ તમે એમાં ભાગીદાર નથી રહેવાના. કારણ કે તમે કેટલોક સમય ધંધામાંથી મુક્ત રહેવાની પ્રતિજ્ઞા કરી દીધી છે ! આ દ્રષ્ટિએ પ્રતિજ્ઞાનું મહત્ત્વ છે. તમે શાન્તિથી વિચારજો. બીજું ઉદાહરણ છે. લાઈટ-કનેક્સન'નું. તમારા ઘરમાં લાઈટ કનેક્સન લીધેલું છે. તમે એક વર્ષ માટે એ ઘર બંધ કરીને મુંબઈ જતા રહ્યા. તમે લાઈટનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. એક વર્ષ સુધી. શું તમારે લાઈટનો ટેક્ષ નહીં ભરવો પડે? તમે ઈલેક્ટ્રીસીટી-બોર્ડને કહેશો કે “અમે તો લાઈટનો ઉપયોગ નથી કર્યો. તો પછી ટેક્સ’ શા માટે આપીએ ?' આ વાત માન્ય રહેશે? પરંતુ મુંબઈ જતા પહેલાં તમે લાઈટનું કનેક્સન કપાવી નાખ્યું છે અને તમે મુંબઈ ગયા છો. તો તમારે લાઈટ-ટેક્સ નહીં ભરવો પડે! લાઈટ'નો ઉપયોગ કરો યા ન કરો, ‘કનેક્સન ચાલુ હશે તો ટેક્સ ભરવો જ પડશે. એ રીતે પાપ કરો યા ન કરો, પાપની સાથે કનેક્સન ચાલુ છે, અનુમોદનાનું તમને પાપ લાગશે જ..! Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy