SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન ૧૬૩ માટે પસ્તાવો કર્યો હતો અને બીજાને જ્ઞાન આપવાનું બંધ કરી દીધું હતું. તેના ફળસ્વરૂપે તેમણે પણ જ્ઞાનાવરણ કર્મ અને અશાતાવેદનીય કર્મ બાંધી લીધું હતું. વરદત્તના ભવમાં બંને કર્મ ઉદયમાં આવ્યાં! તે મંદબુદ્ધિ અને કોઢ રોગવાળો બન્યો. બંનેની પૂર્વજન્મની ઘટનામાં એક મહત્ત્વપૂર્ણ અંતર છે, તફાવત છે. સુંદરીએ બાળકો દ્વારા પંડિતને મરાવ્યો હતો, તે પંડિત સાધુ ન હતો, અને ધાર્મિક શિક્ષણ આપનાર પણ ન હતો. એ તો વ્યાવહારિક શિક્ષણ આપનાર શિક્ષક હતો. સુંદરીએ જે પાટી-પુસ્તક વગેરે બાળ્યાં હતાં, તે પણ ધાર્મિક સાધનો ન હતાં. છતાં પણ પંડિત તો પંડિત જ છે! જ્ઞાની હતો. પુસ્તક-પાટી આદિ જ્ઞાનનાં જ સાધનો હતાં. એમની આશાતનાથી પણ પાપકર્મ જ બંધાય છે. સભામાંથી આ વાત તો અમે સમજતા જ નથી. સ્કુલ-કોલેજના અધ્યાપકોની મજાક કરવી, તિરસ્કાર કરવો, મારવા. એ તો સામાન્ય વાત થઈ ગઈ છે. કોઈ વાર અમે બાળકો પાસે એવું કરાવીએ છીએ પણ ખરા, અને વ્યવહારિક શિક્ષણની ચોપડીઓની આશાતના તો થતી જ રહે છે. ધાર્મિક પુસ્તકોની આશાતના ન થવી જોઈએ. એટલું જ અમે સમજીએ છીએ ! મહારાજશ્રી એટલા માટે તો હું સ્પષ્ટીકરણ કરું છું. જે પુસ્તકો ધાર્મિક નથી હોતાં તેને તમે લોકો જ્ઞાન જ માનતા નથી! કાગળને જ્ઞાનનું સાધન નથી માનતા! છાપાઓનો શો ઉપયોગ કરો છો? શું છાપામાં "અક્ષરદ્યુત” નથી હોતું? યાદ રાખો. જ્ઞાની અને જ્ઞાનનાં ઉપકરણોની આશાતના કરતા રહેશો તો પ્રગાઢ જ્ઞાનાવરણ કર્મ અને અશાતાવેદનીય કર્મ બાંધી લેશો અને જયારે તે કર્મો ઉદયમાં આવશે ત્યારે ગુણસુંદરી કરતાં ય ખરાબ સ્થિતિ થશે. વરદત્તના પૂર્વજન્મની ઘટના બીજા પ્રકારની છે. એ જિનશાસનનો સાધુ હતો. એની પાસે સમ્યક કૃતજ્ઞાન હતું. જ્ઞાની હોવા માટે તેણે અફસોસ કર્યો હતો ! અજ્ઞાનીની આરામપ્રિયતા અને પ્રિય લાગતી હતી ! જ્ઞાન પ્રત્યે મનમાં અરુચિ પેદા થઈ ગઈ હતી, બીજાને જ્ઞાન આપવાની ક્ષમતા હોવા છતાં પણ જ્ઞાન ન આપ્યું અને તે ૧૨ વર્ષ સુધી ! એનાથી જ્ઞાનાવરણીય અને અશાતાવેદનીય કર્મ બાંધી લીધાં હતાં! આ ઘટના આપણને સાવધાન કરે છે. - જ્ઞાનદાન આપવામાં કદી થાકવું ન જોઈએ. – આરામપ્રિયતાને મનમાં પ્રવેશવા દેવી ન જોઈએ ! મનને સમજાવવું જોઈએ? "વિદ્યાર્થિનઃ સુતઃ સુષમ્ ? અર્થને વિદ્યા ? વિદ્યાર્થીને સુખઆરામ કયાંથી? સુખાર્થીને જ્ઞાન કયાંથી? Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy