SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પર્વ-પ્રવચનમાળા માન સરોવરમાં હંસ બન્યા છે. પોતાના પૂર્વજન્મ સાંભળીને વરદ કુમારને "જાતિસ્મરણશાન" થઈ ગયું. તેણે પોતાનો પૂર્વજન્મ જાણી લીધો. ગુરુદેવે વરદત્તને પણ જ્ઞાનપંચમીની આરાધના કરવાની પ્રેરણા આપી. વરદત્ત અને ગુણસુંદરીએ ગુરુદેવના કહ્યા પ્રમાણે જ્ઞાનપંચમીની આરાધના કરી, ફળસ્વરૂપે બંનેના રોગ દૂર થયા. ગુણસુંદરીનું મૂંગાપણું દૂર થયું અને વરદત્તની મતિમંદતા દૂર થઈ ગઈ. એક હજાર રાજકન્યાઓ સાથે વરદત્તનાં લગ્ન થયાં. સંસારનાં અનેક સુખો ભોગવે છે, પરંતુ પ્રતિવર્ષ જ્ઞાનપંચમીની આરાધના ચૂકતો નથી. ગુણસુંદરીનાં લગ્ન વણિકપુત્ર જિનભદ્રની સાથે થાય છે. એ પણ સાંસારિક સુખો ભોગવે છે, પરંતુ જ્ઞાનપંચમીની આરાધના કરતી રહે છે. એક દિવસ વરદત્ત સંસારનાં સુખોથી વિરક્ત થાય છે અને ચારિત્ર અંગીકાર કરે છે. ગુણસુંદરી પણ ચારિત્ર ગ્રહણ કરે છે. આયુષ્ય પૂર્ણ થાય છે. બંને અનુત્તર દેવલોકમાં દેવ થાય છે. આયુષ્ય પૂર્ણ થતાં વરદત્તનો આત્મા મહાવિદેહક્ષેત્રમાં રાજા અમરસેનને ત્યાં સુરસેનના સ્વરૂપે જન્મ લે છે. કુમાર સુરસેનનાં ૧૦૦કન્યાઓ સાથે લગ્ન થાય છે. પાછળથી વૈરાગી બનીને દીક્ષા લે છે. ઘોર તપશ્ચયથી સર્વ કર્મોની નિર્જરા કરીને એ સિદ્ધિગતિ પ્રાપ્ત કરી લે છે. ગુણસુંદરીનો આત્મા દેવલોકમાંથી ઔવે છે. મહાવિદેહક્ષેત્રમાં રાજા અમરસિંહનો પુત્ર સુગ્રીવ થાય છે. તે પણ વિરક્ત બનીને દીક્ષા લઈને કર્મોનો ક્ષય કરીને મોક્ષે જાય છે. કથાબોધઃ ગુણસુંદરીનો પૂર્વજન્મ અવધિજ્ઞાનીએ બતાવ્યો તેમાં તેમણે સુંદરીની ગંભીર ભૂલ બતાવી,કે તેણે જ્ઞાનનાં સાધનો બાળી નાખ્યાં અને પુત્રો દ્વારા પંડિતને મરાવ્યો. સુંદરીએ બે પ્રકારે જ્ઞાનની આશાતના કરી. એ આશાતનાને કારણે તેણે જ્ઞાનાવરણ કર્યું અને અશાતા વેદનીય કર્મ બાંધ્યું. ગુણસુંદરીના ભવમાં એ કર્મો ઉદયમાં આવ્યા. તે મૂંગી અને રોગી બની. એ રીતે વરદત્તકુમારના પૂર્વજન્મની ઘટના પર ગંભીર વિચાર કરવા પ્રેરે છે. વસુદેવ મુનિએ ન જ્ઞાનીની આશાતના કરી હતી, ન જ્ઞાનનાં સાધનોની આશાતના કરી હતી. તેમણે જ્ઞાનની આશાતના માનસિક રૂપે કરી હતી. પોતે જ્ઞાની બન્યા તે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy