SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન ૧૬૧ મૂંગાપણું દૂર થાય અને શરીર નીરોગી બને ?" આચાર્યદેવે કહ્યું "મહાનુભાવ, ગુણસુંદરીએ જ્ઞાનપંચમીની આરાધના કરવી જોઈએ. દરેક માસની શુકલા પંચમીના દિવસે નિર્જળ ઉપવાસ કરવો, જિનપૂજા કરવી, સુપાત્રે દાન દેવું. અને જ્ઞાનપદનો જાપ કરવો. પાંચ વર્ષ અને પાંચ માસ સુધી આ આરાધના કરવી જોઈએ.” સિંહદાસે વારંવાર ગુરુદેવનો ઉપકાર માન્યો અને આભાર માનીને ઘેર ગયો. એ નગરનો રાજા હતો અજિતસેન, રાણીનું નામ હતું યશોમતી, અને રાજકુમાર હતો વરદત્ત. વરદત્ત જન્મથી જ મતિમૂઢ હતો. પૂરા શરીરે કોઢ થઈ ગયા હતા. રાજા-રાણી એ કારણે ખૂબ દુઃખી હતાં. ખૂબ ઉપાયો કરવા છતાં વરદત્ત ન તો નીરોગી બન્યો, ન જ્ઞાની બન્યો. એમને ખબર પડી કે નગરની બહાર જ્ઞાની આચાર્યદિવ પધાર્યા છે. તો રાણી અને રાજકુમારની સાથે રાજા ગુરુદેવની પાસે ગયો. ભાવપૂર્વક વંદના કરીને વિનયપૂર્વક ગુરુદેવની પાસે બેઠાં. ગુરુદેવે તેમને ધર્મનો ઉપદેશ આપ્યો. રાજાએ બે હાથ જોડીને પૂછયું : "ગુરુદેવ, આ મારો પુત્ર વરદત્ત છે. અનેક ઉપાય કરવા છતાં પણ એને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને એનો કોઢનો રોગ દૂર થતો નથી. પ્રભુ, એણે પૂર્વજન્મમાં એવાં કયાં પાપ કર્યા હશે?” આચાર્યદેવે કહ્યું : "રાજનું, કુમારનો પૂર્વજન્મ બતાવું છું. એકાગ્ર થઈને સાંભળો. આ ભરતક્ષેત્રમાં સિંહપુર નામનું નગર છે. એ નગરમાં “વસુ'નામનો શ્રેષ્ઠી રહેતો હતો. એને બે પુત્રો હતા - વસુધાર અને વસુદેવ. સદ્ગુરુના સંપર્કથી બંને ભાઈ વૈરાગી થયા અને દીક્ષા લીધી. નાનો ભાઈ વસુદેવ બુદ્ધિશાળી હતો. સારો શાસ્ત્રાભ્યાસ કર્યો અને પ્રતિદિન ૧૦૦ સાધુઓને ભણાવવા લાગ્યો. એક દિવસે જયારે વસુદેવ મુનિ શ્રમિત થઈને સૂઈ ગયા હતા, ગાઢ નિદ્રામાં હતા. એ સમયે એક સાધુએ એમને જગાડીને કહ્યું: "મને ભણાવો !” વસુદેવ મુનિ અસ્વસ્થ થઈ ગયા. સાધુ પર નારાજ થઈ ગયા. “ચાલ્યો જા અહીંથી, હું ભણાવીશ નહીં." તે મનમાં વિચારે છેઃ મેં શા માટે આ ભણવાનું પાપ કર્યું? હું ન ભણ્યો હોત તો મારે બીજાંને ભણાવવા ન પડત... આ મારો ભાઈ...એણે અભ્યાસ નથી કર્યો તો નિશ્ચિંત થઈને ભોજન, શયન કરે છે. હવે હું કોઈપણ સાધુને ભણાવીશ નહીં. બાર વર્ષ સુધી તેમણે કોઈને ભણાવ્યો નહીં. તેમનું મૃત્યુ થયું. એમનો આત્મા જ તારો પુત્ર વરદત્ત છે! વસુસાર મુનિ કે જેમણે સાધુજીવનમાં જ્ઞાનની ઉપેક્ષા કરી હતી તેઓ મરીને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy