SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પર્વ...વચનમાળા ઉપચાર કયાં તો પણ કોઈ અસર ન થઈ. એ નગરમાં વિજયસેન નામના આચાર્યદિવ પધાર્યા. રાજા, પ્રજા સર્વે ધમપદેશ સાંભળવા માટે આચાર્યદવ પાસે જાય છે. આચાર્યદિવ “અવધિજ્ઞાની' હતા. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળના જાણકાર હતા. આચાર્યદિરે ધર્મોપદેશમાં જ્ઞાનોપાસના કરવાનો અને જ્ઞાનાશાતના ન કરવાનો ઉપદેશ આપ્યો. જ્ઞાનની વિરાધનાનાં કટ્રફળ પણ જણાવ્યાં! શ્રેષ્ઠી સિંહદાસે ગુરુદેવને વંદના કરીને વિનયથી પૂછ્યું : "ભગવંત, મારી પુત્રી ગુણમંજરીએ પૂર્વજન્મમાં કઈ વિરાધના કરી છે કે જેને પરિણામે આ જન્મમાં મૂંગી અને રોગી બની છે ?" આચાર્યદેવે કહ્યું: “મહાનુભાવ, ધાતકીખંડના ભરતક્ષેત્રની વાત છે. એ ભરતક્ષેત્રમાં "ખેટક નામનું ગામ છે. એ ગામમાં જિનદેવ નામનો શ્રેષ્ઠી હતો. તેને સુંદરી નામની પત્ની હતી. તેમને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ હતી. બાળકોને ભણાવવા માટે પાઠશાળામાં મોકલ્યાં. બાળકો ભણવામાં આળસુ હતા. ભણતાં ન હતાં. સમજાવવા છતાં તે સમજતાં ન હતાં. તે પછી પંડિત મારવાની શરૂઆત કરી. બાળકોએ ઘરમાં સુંદરીની આગળ ફરિયાદ કરી "પંડિત અમને મારે છે.” સુંદરીએ બાળકોને સારું ભણવાની પ્રેરણા આપવાને બદલે કહ્યું કે, "પંડિત તમને મારે છે તો તમે બધા ભેગા થઈને પંડિતને મારો !” બાળકો પંડિતને મારીને ઘેર આવ્યાં. સુંદરીએ પાટી, પુસ્તકો વગેરે સળગાવી દીધાં અને બાળકોને કહ્યું કે હવે તમારે ભણવાનું નથી !” છોકરાઓ મોટા થયા. શેઠે છોકરાઓ માટે છોકરીઓની તપાસ કરી. અભણ, મૂર્ખ છોકરાઓ સાથે કોઈ પણ કન્યા લ કરવા તૈયાર ન થઈ. શેઠે સુંદરીને કહ્યું : 'જો, આ તારા કાર્યોનું ફળ છે. તે બાળકોને ભણાવ્યાં નહીં. હવે તારા મૂર્ખ પુત્રો સાથે લગ્ન કરવા કોઈ છોકરી તૈયાર નથી.” સુંદરીએ શેઠ સાથે ઝઘડો કર્યો. શેઠે સુંદરીને મારી. સુંદરી મર્મથી આહત થઈમરી ગઈ ! મરીને તે તારી પુત્રી ગુણસુંદરી બની!” શ્રેષ્ઠી સિંહદાસ, અવધિજ્ઞાની આચાદવની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા ! તેમણે ગુણમંજરીની સામે જોયું. ગુણસુંદરી આંખો બંધ કરીને ઊંડા વિચારમાં ડૂબી ગઈ. આચાર્યદેવે કહ્યું : "મહાનુભાવ, ગુણસુંદરીને "જાતિસ્મરણજ્ઞાન” થઈ ગયું છે. મેં જે બતાવ્યો એનો પૂર્વભવ, એની સ્મૃતિમાં આવી ગયો છે.” "પ્રભુ, હવે શું કરવું જોઈએ કે જેથી ગુણસુંદરીને જ્ઞાનની પ્રાપ્તિ થાય? એનું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy