SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન ૧૫૯ કરવાથી, એમનો અવિનય કરવાથી, તેમનાં આસન, વસ્ત્ર આદિનો ઉપયોગ કિરવાથી આશાતના થાય છે. જ્ઞાનનાં સાધન, ઉપકરણોનો દુરુપયોગ કરવાથી જ્ઞાનની આશાતના થાય છે. કેટલીક પ્રચલિત આશાતનાઓ સાંભળો. પુસ્તકો અને નોટબુકોને સળગાવી દેવી, • ચોપડીઓ અને નોટ્સને પટકવાં, વાળી નાંખવાં, ફેંકી દેવાં, કાગળ ઉપર અશુચિ કરવી અથવા કાગળથી અશુચિ સાફ કરવી. | કાગળમાં ખાવું, ૦ પેન-પેન્સિલથી કાન સાફ કરવા, પુસ્તક યા કાગળ ઉપર બેસવું, ૦ પુસ્તકથી હવા નાખવી, • એંઠા મુખે બોલવું, અસત્ય બોલવું. પોતે વાંચવું નહીં અને વાંચનારને વાંચવા ન દેવું. બીજાંની ચોપડી....પેન આદિ ચોરી કરવી, છુપાવવું, જ્ઞાની પુરુષોની નિંદા કરવી, જિનવચનોનો ખોટો અર્થ કરવો, જ્ઞાનદાન ન આપવું, શક્તિ હોવા છતાં પણ. જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિમાં વિધ્ધ કરવું, આ પ્રકારની જ્ઞાનાશાતના કરવાથી "જ્ઞાનાવરણીય કર્મ” અશાતાવેદનીય કર્મ, અશુભ નામ કર્મ વગેરે પાપકર્મો બંધાઈ જાય છે. જયારે એ કર્મો ઉદયમાં આવે છે, ત્યારે જીવાત્મા મતિમૂઢ બને છે, રોગી બને છે. અભાગી બને છે. આ વાતને સ્પષ્ટ અને પુષ્ટ કરનારી અનેક કથા ધર્મગ્રંથોમાં આવે છે. વરદત્ત અને ગુણમંજરીઃ પદ્મપુર નામનું નગર હતું. એમાં સિંહદાસ નામે શ્રેષ્ઠી હતા. તેમને "કપૂરતિલકા” નામની પત્ની હતી અને ગુણમંજરી નામે પુત્રી હતી. ગુણમંજરી જન્મથી જ રોગી અને મૂંગી હતી. શ્રેષ્ઠી પાસે કરોડો રૂપિયાની મિલ્કત-સંપત્તિ હોવા છતાં પણ છોકરીની આ દુઃખમય સ્થિતિથી તેઓ દુઃખી હતા. ઘણાં ઔષધ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy