SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ-પ્રવચનમાળા કુમારપાળે સમગ્ર ગુજરાતમાં અહિંસાનો અદ્ભુત પ્રસાર કર્યો હતો. એ વખતે ગુજરાતમાં એક પણ કતલખાનું ન હતું. એટલે કે એક પણ કતલખાનું ‘સ્લોટર હાઉસ’ નહીં. કોઈ પણ વ્યક્તિ બળદ, ગાય, પાડો, બકરું વગેરે પશુઓની હત્યા તો કરી જ શકતી નહીં; વાળમાં પડેલી જૂને પણ કોઈ મારી શકતું ન હતું ! S એક વેપારીએ જાણી જોઈને એક જૂ મારી. એની પત્નીએ જઈને કુમારપાળને ફરિયાદ કરી. કુમારપાળે એ વેપારીને બોલાવ્યો અને દંડ કર્યો- એક જિનમંદિર બંધાવવાનો ! તેણે જિનમંદિર બંધાવ્યું. ચૂકા વિહાર' નામે એ મંદિર પાટણમાં પ્રસિદ્ધ થયું. સંસ્કૃતમાં ‘જૂ’ ને ‘યૂકા’ કહે છે. પોતે જીવદયાનું પાલન કરવું અને બીજાની પાસે કરાવવું કેટલો મહાન્ ધર્મ છે ! કુમારપાળે આ ધર્મનું પાલન પ્રાણની પરવા કર્યા વગર કર્યું હતું. પાટણમાં દેવી કંટકેશ્વરીના મંદિરમાં પ્રતિવર્ષ પશુબલિ આપવામાં આવતો. આસો માસના શુક્લ પક્ષમાં પશુબલિ આપવામાં આવતો હતો. આસોના શુક્લપક્ષની શરૂઆતમાં પૂજારીએ કુમારપાળની પાસે આવીને કહ્યું ઃ ‘મહારાજ, આપના પૂર્વજ રાજાઓની પરંપરા અનુસાર દેવી કંટકેશ્વરીને શુક્લપક્ષની સાતમના દિવસે સાતસો બકરા અને સાત પાડાઓનો બિલ આપવો જોઈએ. આઠમના દિવસે આઠસો બકરા અને આઠ પાડાનો બલિ તથા નોમના દિવસે નવસો બકરા અને નવ પાડાનો બલિ આપવો જોઈએ.’ રાજાએ કહ્યું : વિચારીને જવાબ આપીશ.' અને કુમારપાળ ગુરુદેવ હેમચંદ્રસૂરિની પાસે ગયા. તેમને આખી વાત જણાવી દીધી. ગુરુદેવે તેમને પશુઓની રક્ષા કરવાનો તેમજ પશુબલિની પ્રથા બંધ ક૨વાનો માર્ગ બતાવ્યો. કુમારપાળે મહેલમાં જઈને પોતાના વિશ્વાસપાત્ર પુરુષો દ્વારા, પૂજારીઓના હક્ક પ્રમાણે રાત્રિના સમયે પશુઓને દેવીના મંદિરમાં પહોંચાડી દીધાં. મંદિરનું મેદાન મોટું હતું. તેમાં ઘાસ પણ હતું. પશુઓને મંદિરના કમ્પાઉન્ડમાં પૂરી દેવામાં આવ્યાં, અને ચારેબાજુ રક્ષકોને ગોઠવી દેવામાં આવ્યા. બીજે દિવસે પ્રાતઃકાળે કુમારપાળ સ્વયં પૂજારીઓને સાથે લઈને મંદિરે ગયા, મંદિરના દરવાજા ખોલાવ્યા. અંદ૨ હજારો પશુઓ ઘાસ ખાતાં હતાં, દોડતાં હતાં, રમતાં હતાં. કુમારપાળે પૂજારીઓને કહ્યું : “મેં તો આ પશુઓ દેવીને આપી દીધાં હતાં. જો દેવીની ઇચ્છા એમને ભક્ષ્ય બનાવવાની હોત તો સર્વ પશુઓનું મોત થઈ જાત અને તેમનાં હાડકાં સિવાય કશું બચ્યું ન હોત; પરંતુ તમે જુઓ; બધાં પશુઓ નિર્ભયતાથી રમી રહ્યાં છે. એનો અર્થ એ છે કે દેવીને પશુઓનું માંસ નથી જોઈતું. માંસભક્ષણ તો તમારે પૂજારીઓને કરવાનું હતું ! પરંતુ હવે તમે માંસભક્ષણ નહીં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy