SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આષાઢ-ચાતુર્માસિક પ્રવચન હેમચંદ્રસૂરીશ્વરજીના સંપર્કમાં આવ્યા પછી રાજા કુમારપાળ પરમ દયાળુ બની ગયા હતા. સૂક્ષ્મ હિંસાથી બચવાના પણ તેમણે પ્રયત્નો કર્યા હતા. તેમના રાજ્યમાં તેમના ૧૧ લાખ અશ્વોને, ૧૧ સો હાથીઓને તેમજ ૮૦ હજાર ગાય-ભેંશોને પાણી ગાળીને પાવામાં આવતું હતું. ૫ પોતાના મુખથી કદી પ્રમાદવશ માર’ એવો હિંસાવાચી શબ્દ નીકળી જતો તો બીજે દિવસે તે ઉપવાસ કરતા. જૂઠ્ઠું બોલાઈ જતું તો બીજે દિવસે આયંબિલ કરી લેતા. ચાતુર્માસમાં પ્રતિદિન એકાસણું કરતા. એકાસણામાં માત્ર આઠ વસ્તુઓ જ આરોગતા. એમાં પણ દૂધ, દહીં, ઘી, ગોળ, સાકર અને તળેલા પદાર્થો ખાતા ન હતા. લીલી વનસ્પતિનો ત્યાગ કરતા. ચાતુમસમાં મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરતા, મનમાં પણ બ્રહ્મચર્યનો ભંગ થતો તો બીજે દિવસે ઉપવાસ કરતા હતા. આમ તો કુમારપાળે ગુરુદેવ પાસેથી બાર વ્રતો ગ્રહણ કર્યાં હતાં - એ બાર વ્રતોનું પાલન ખૂબ જ સારી રીતે કરતા હતા. – પ્રતિવર્ષ ચાતુર્માસમાં ગુરુદેવના સાન્નિધ્યમાં ભક્તિ તથા વિનયપૂર્વક બેસીને કુમારપાળ ધર્મગ્રંથોનું અધ્યયન કરતા હતા. અંદાજે ૬૦ વર્ષની ઉંમરે તેઓ સંસ્કૃતભાષાનું વ્યાકરણ ભણ્યા હતા, અને તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન્ બન્યા હતા. દરરોજ પરમાત્મ-મંદિરમાં જઈને અપૂર્વ ભક્તિભાવથી પરમાત્માનું દર્શનપૂજન-સ્તવન કરતા હતા. તેઓ પોતે પણ પરમાત્માનાં સ્તોત્રો રચતા હતા. સૂક્ષ્મ જીવો પ્રત્યે પણ તેમની દયાભાવના કેવી પ્રબળ હતી એ એક ઘટના દ્વારા બતાવું છું. પર્પીતથિનો દિવસ હતો. પર્વતથિના દિને કુમાપાળ પૌષધ વ્રત’ લેતા હતા અને ચોવીસ કલાક પૌષધશાળામાં રહેતા હતા. તેમની સાથે બીજા સેંકડો શ્રાવકો પણ પૌષધવ્રત લેતા હતા. કુમારપાળ પૌષધવ્રતમાં હતા, એમના શરીર ઉપર એક મંકોડો ચોંટી ગયો. મુખવસ્તિકાથી તેને ઉતારવાનો પ્રયત્ન કર્યો પરંતુ મંકોડો ઊતર્યો નહીં. જો હાથથી પકડીને દૂર કરવાનો પ્રયત્ન કરે તો મંકોડો મરી જાય અથવા તેના પગ તૂટી જાય. કુમારપાળ એવું કરવા માગતા ન હતા. તેમણે મંકોડાને કષ્ટ ન આપ્યું; પરંતુ જ્યાં મંકોડો ચોંટી ગયો હતો એ જગ્યાની ચામડી જ કાપીને અલગ કરી દીધી ! આ હતી તેમની દયાભાવના ! Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy