SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-પ્રવચનમાળા પાટણની બહાર ન જવાની પ્રતિજ્ઞા લીધી હતી. પાટણમાં પણ જિનમંદિરોનાં દર્શન, અને ગુરુવંદન સિવાય અન્યત્ર પરિભ્રમણ ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી. सर्वचैत्यानां गुरोरपि वन्दनम् दर्शनं मुक्त्वा पुरेऽपि न प्रायो भ्रमिष्यामि घनागमे ॥ વર્ષાકાળમાં આ રીતે એક જ સ્થળે રહેવાથી જીવોની હિંસાથી તો બચી જવાય છે, પણ વિશેષમાં નિવૃત્તિધર્મનું આરાધન પણ થાય છે. ચાર મહિના સંસારનાં સર્વ કાર્યોથી સંપૂર્ણ નિવૃત્ત થઈને જો તમે લોકો ભક્તિયોગ, જ્ઞાનયોગ, અને અધ્યાત્મયોગની આરાધના કરતા રહો તો તમારું જીવન કેવું બની જાય...એની કલ્પના કરજો. ૪ સભામાંથી : ચાર મહિના સુધી ઘર અને દુકાન કેવી રીતે છોડી શકાય ? મહારાજશ્રી : જો પુત્ર, ભાઈ યા વિશ્વાસપાત્ર મુનીમ-મેનેજર હોય તો છોડી શકો. રાજર્ષિ કુમારપાળ મંત્રીમંડળના વિશ્વાસે જ છોડતા હતા ને ? રાજસભામાં પણ જતા ન હતા. તેમનો વધારે વખત તો મંદિરમાં અને ગુરુદેવને ઉપાશ્રયે જ વ્યતીત થતો હતો. ગુરુદેવ હેમચંદ્રસૂરિજીના સંપર્કથી કુમારપાળ સ્વયં તો અહિંસક બન્યા જ હતા; પણ સમગ્ર ગુજરાતમાં અહિંસાધર્મનો અદ્ભુત પ્રચાર કર્યો હતો. ચાતુર્માસમાં તમારે બની શકે તેટલી વધારે નિવૃત્તિ લેવી જોઈએ. સંસારના તમામ કાર્યોનો ત્યાગ કરીને ભક્તિયોગમાં, જ્ઞાનયોગમાં અને અધ્યાત્મયોગમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગુરુનો યોગ મળે ત્યારે તો અચૂક નિવૃત્તિ લેવી જોઈએ. સદ્ગુરુના આલંબનથી તમે ત્રણે યોગોમાં સારી પ્રગતિ કરી શકો. “મારે આ મનુષ્યજીવનમાં આત્મકલ્યાણ કરી લેવું છે. આ દુર્લભ જીવનને વ્યર્થ ગુમાવવું નથી.' આવો દૃઢ સંકલ્પ હોય અને આજીવિકાની ચિંતા ન હોય તો વર્ષાકાળમાં અવશ્ય ચાર માસ નિવૃત્તિ લઈને, ગુરુજનોનું માર્ગદર્શન લઈને આત્મકલ્યાણની આરાધના કરી લેવી જોઈએ. શું કુમારપાળ રાજાને શિરે કોઈ જવાબદારી ન હતી ? તે અઢાર દેશના રાજા હતા. તમારે તો કદાચ અઢાર દુકાનો ય નહીં હોય ! એક બે જ દુકાનો છે ને ? શું તમે દુકાને નહીં જાઓ તો દુકાન બંધ કરી દેવી પડશે ? એવું હોય તો દુકાને જઈ શકો છો. પરંતુ પાંચ યા છ કલાકનો સમય તો કાઢી શકોને ? હૃદય જીવદયાથી ભર્યું હોવું જોઈએ. તો જ વપંચાતુર્માસની આરાધનાની વાત ગમશે, એ સિવાય નહીં ગમે. ભક્તિ, જ્ઞાન અને અધ્યાત્મની ચાહના હ્દયમાં ઉદ્ભવશે, અને તો જ નિવૃત્તિ લેવાની વાત ગળે ઊતરશે, એ સિવાય નહીં. ગુરુદેવ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy