SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આષાઢ-ચાતુમાસિક પ્રવચન છે. પ્રતિક્રમણ કરવાથી પાપો પ્રત્યેનો રાગ તૂટી જાય છે....વગેરે. સાથે સાથે ભૌતિક લાભ તો થાય જ છે. પરંતુ એ લાભોનું ચિંતન કરવાની આવશ્યકતા નથી. જે સ્વતઃ મળવાનું છે એનું ચિંતન શા માટે કરવું? ધર્મઆરાધનામાં વિશિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અપેક્ષિત હોય છે. દ્રવ્ય એટલે સાધનસામગ્રી. ક્ષેત્ર એટલે ઉચિત સ્થાન, કાળ એટલે યોગ્ય સમય, અને ભાવ એટલે ક્રિયાને અનુરૂપ શુભ ચિંતન. પ્રત્યેક ધર્મઆરાધનામાં આ ચારે વાતો મહત્ત્વપૂર્ણ હોય છે. આજે મારે વિશેષ રૂપે “કાળ' વિષે કંઈક કહેવું છે. કાળ'ના આધારે દ્રવ્ય, ક્ષેત્ર, અને ભાવના વિષયમાં પણ માર્ગદર્શન આપવું છે. ધર્મઆરાધનાની વૃષ્ટિથી જ્ઞાની પુરુષોએ વર્ષના ત્રણ વિભાગો પાડ્યા છે: ૧. કાર્તિક ચાતુમસી. ૨. ફાગણ ચાતુમસી. ૩. અષાઢ ચાતુમસિી. પ્રસ્તુતમાં અષાઢ ચાતુર્માસનો જે વર્ષાકાળ છે, એ વિષયનું આજે પ્રવચન કરવામાં આવશે. આજથી, આષાઢી શુક્લપક્ષની ચૌદશથી વર્ષાકાળનોચાતુર્માસનો પ્રારંભ થાય છે. આજથી ભારતમાં જ્યાં જ્યાં જૈન સાધુ-સાધ્વીઓ હશે તેઓ એક ગામમાં એક સ્થાને સ્થિર થઈ જશે. એટલે કે કાર્તિક શુક્લપક્ષની ચૌદશ સુધી વિહાર નહીં કરે. ચાર માસ સુધી તપોમય જીવન જીવીને સંયમ-આરાધનામાં નિમગ્ન રહેશે. અમે પણ અહીં ચાર મહિના સ્થિરતા કરીશું અને સ્વ-પરના આત્મકલ્યાણની પ્રવૃત્તિ કરીશું. અમારી પ્રવૃત્તિ પણ નિવૃત્તિરૂપ હોય છે. સભામાંથી એક સ્થળે ચાર મહિના સ્થિરતા કરવાનું મુખ્ય પ્રયોજન શું છે? મહારાજશ્રી મુખ્ય પ્રયોજન છે જીવદયા પ્રાણી રક્ષા. વષકાળમાં જીવોની ઉત્પત્તિ વધારે થાય છે. વનસ્પતિની ઉત્પત્તિ પણ વધારે થાય છે. આ સમયમાં ચાલવા ફરવાથી, વિહાર વગેરે કરવાથી જીવહિંસા થાય છે, એટલા માટે વિહારાદિ કરવામાં આવતા નથી. ધર્મગ્રંથોમાં કહ્યું છે? दयार्थ सर्वजीवानां वर्षास्वेकत्र संवसेत् । માત્ર સાધુ-સાધ્વીઓ માટે જ આ નિયમ છે એવું ન સમજો. તમારે માટે એટલે કે શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ આ નિયમ બતાવવામાં આવ્યો છે. શ્રી નેમનાથ ભગવંતની પાસે કૃષ્ણ મહારાજાએ આ નિયમ-(પ્રતિજ્ઞા) કરેલો કે ચાતુર્માસમાં દ્વારકાની બહાર ન જવું. આ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી પાસેથી ગુર્જરેશ્વર રાજા કુમારપાળે પણ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy