SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) ૧૪૯ ક્ષણ માટે સુખનો અનુભવ થયો. એ સમયે ચંદ્ર નામનું સંવત્સર હતું. પ્રીતિવર્ધન” નામનો મહિનો હતો. "દિવર્ધન” નામનું પક્ષ હતું. "અગ્નિવેશ” નામનો દિવસ હતો. "દેવાનંદા” નામની રાત્રિ હતી. "અર્ચ” નામનું લવ હતું. "શુલ્ક” નામનો પ્રાણ હતો. "સિદ્ધ” નામનો સ્તોક હતો "સર્વાર્થસિદ્ધ” નામે મુહૂર્ત હતું, અને "નાગ” નામનું કરણ હતુ. જે રાત્રે ભગવાનનું નિવણિ થયું તે રાત્રે ઘણાં દેવ-દેવીઓ સ્વર્ગથી આવ્યાં. એટલે તેમના પ્રકાશથી સર્વત્ર પ્રકાશ થઈ ગયો. એ સમયે નવ મલ્લકો, નવ લિચ્છવી, કાશી-કોશલના ૧૮ ગણરાજાઓ ઉપસ્થિત હતા. તેમણે વિચાર્યું : "જગતને જ્ઞાનપ્રકાશથી પ્રકાશિત કરનારી ભાવજ્યોતિ બુઝાઈ ગઈ... એની સ્મૃતિમાં દ્રવ્ય દીપક પ્રજ્જવલિત કરવા જોઈએ. તેમણે ઘેરઘેર દીપક પેટાવ્યા, ત્યારથી દીપોત્સવી-પર્વ ચાલ્યું આવે છે. એ સમયે આંસુભરી આંખોથી દેવ-દેવેન્દ્રોએ ભગવાનના શરીરને પ્રણામ કર્યા... અને અનાથ થઈ ગયા હોય, એવી રીતે ઊભા રહ્યા. શકેન્દ્ર નંદનવન આદિ સ્થાનોમાંથી ગોશીષ ચંદન મંગાવીને ચિતા બનાવી; ક્ષીરસાગરના જળથી પ્રભુના શરીરને સ્નાન કરાવ્યું. પોતાના હાથો વડે પ્રભુના શરીર પર વિલેપન કર્યું. દિવ્ય વસ્ત્ર ઓઢાડયું અને દેવ-દેવેન્દ્રોએ મળીને દેહને દિવ્ય શિબિકામાં પધરાવ્યો. ઇન્દ્રોએ શિબિકા ઉપાડી. દેવોએ જય જય શબ્દો ઉચ્ચારતાં પુષ્પવૃષ્ટિ કરી. દેવગન્ધર્વ ગાવા લાગ્યા. સેંકડો દેવો મૃદંગ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા. પ્રભુની શિબિકાની આગળ શોકવિહ્વળ દેવાંગનાઓ અભિનવ નૃત્યાંગનાઓની જેમ નૃત્ય કરતી ચાલવા લાગી. ભવનપતિ - વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ દિવ્ય શસ્ત્રોથી, આભૂષણોથી અને પુષ્પમાળાઓથી શિબિકાનાં પૂજન કરવા લાગ્યા. શ્રાવક-શ્રાવિકાઓ શોકવ્યાકુળ થઈને રુદન કરવા લાગ્યાં. શોકસંતપ્ત ઈન્દ્ર પ્રભુના શરીરને ચિતા ઉપર મુકયું. અગ્નિકુમાર દેવોએ એમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો. અગ્નિને પ્રદક્ષિણા કરવા માટે વાયુકુમાર દેવોએ વાયુ ચલાવ્યો. દેવોએ સુગંધી પદાર્થોના અને ઘી તથા મધના સેંકડો ઘડા આગમાં નાખ્યા.. પ્રભુનું શરીર સંપૂર્ણ બળી જતાં મેઘકુમાર દેવોએ ક્ષીરસાગરના જળથી ચિતા બુઝાવી દીધી. કેન્દ્ર તથા ઈશાનેન્દ્ર પ્રભુના શરીરની જમણી અને ડાબી દાઢો લઈ લીધી. અમરેન્દ્ર તથા બલીન્ટે નીચેની દાઢો લઈ લીધી. અન્ય દેવ પણ દાંત અને અસ્થિ લઈ ગયા. મનુષ્યગણ ચિતાની ભસ્મ લઈ ગયો. પછી દેવોએ એ સ્થાન ઉપર રત્નમય સૂપની રચના કરી. દેવ-દેવેન્દ્રો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy