SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-પ્રવચનમાળા “જ્ઞાતકુલોત્પન્ન કેવલજ્ઞાની શ્રી વર્ધમાનસ્વામીએ ભવ્ય જીવોને પરમ પ્રિય એવા ૩૬ ઉત્તર (પ્રધાન) અધ્યયન પ્રકાશિત કર્યા છે. પ્રધાન અધ્યયન પ્રકાશિત કરતાં કરતાં જ ભગવાનનું નિર્વાણ થઈ ગયું. નિર્વાણકલ્યાણક: ૧૪૮ કાર્તક માસની પાછલી રાત હતી, ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં આવેલો હતો. ભગવાનને છઠ્ઠનો તપ હતો. ભગવાન અંતિમ અધ્યયનની દેશના આપી રહ્યા હતા. એ સમયે ઇન્દ્રનું આસન કંપિત થયું. પ્રભુના મોક્ષનો સમય જાણીને ઇન્દ્ર પરિવાર સહિત અપાપાપુરીમાં આવ્યા. શકેન્દ્રની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. તેમણે બે હાથ જોડીને પ્રભુને કહ્યું : "હે નાથ, આપના ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હસ્તોત્તરા નક્ષત્ર હતું. આ સમયે એમાં ભસ્મકગ્રહ સંક્રાન્ત થનારો છે. આપના જન્મનક્ષત્રમાં સંક્રમિત થનારો આ ગ્રહ બે હજાર વર્ષ સુધી આપના ધર્મશાસનના સાધુ-સાધ્વીઓને વિઘ્નો ઉત્પન્ન કરશે. એટલા માટે આ ગ્રહ આપના જન્મનક્ષત્રમાંથી સંક્રમણ કરે ત્યાં સુધી આપ પ્રતીક્ષા કરો. આપની સામે જ એ સંક્રમણ કરી જાય તો આપના પ્રભાવથી એ ગ્રહનો પ્રભાવ નષ્ટ થશે. જયારે આપના સ્મરણ માત્રથી કુસ્વપ્ન, ખરાબ શુકન અને દુષ્ટ ગ્રહ શ્રેષ્ઠ ફળ આપનાર થઈ જાય છે, ત્યારે આપ સાક્ષાત્ બિરાજતા હો ત્યારે તો કહેવું જ શું ? એટલા માટે હે ભગવંત ! આપનુ આયુષ્ય એક ક્ષણ વધારી દો. જેથી આ દુષ્ટ ગ્રહ ઉપશાંત થઈ જાય.” ઇન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાને કહ્યું : "હે ઇન્દ્ર, તું જાણે છે કે આયુષ્ય વધારવાની શક્તિ કોઈનામાં ય નથી. આગામી દુષમકાળના પ્રભાવથી ધર્મતીર્થને નુકસાન થવાનું છે. તેમાં ભસ્મક ગ્રહ પણ પોતાનો પ્રભાવ દેખાડશે જ.” એ સમયે પર્યંકાસનમાં બેઠેલા ભગવાને બાદર કામયોગમાં સ્થિત થઈને બાદર મનોયોગને રોકયો. પછી સૂક્ષ્મકાયયોગમાં સ્થિત થઈને વચન-કાયયોગને રોકયો. વાણી અને મનના સૂક્ષ્મયોગને રોકયો. આ રીતે સૂક્ષ્મ ક્રિયાવાળું ત્રીજું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું. તે પછી સૂક્ષ્મકાયયોગને રોકીને સમુચ્છિન્નક્રિયા નામના ચોથા શુક્લધ્યાનને પ્રાપ્ત કર્યું. પછી પાંચ હસ્તાક્ષરોનું ઉચ્ચારણ કરી શકાય એટલા કાળમાં, કર્મબંધથી મુક્ત થઈને ૠજુગતિથી ઊર્ધ્વગમન કરીને મોક્ષમાં ગયા. એ સમયે જેમને એક ક્ષણ પણ સુખ નથી થતું એવા નારકીના જીવોને પણ એક Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy