SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) છે. ત્યાંથી આવીને બ્રહ્મરાજાને ત્યાં જન્મ લે છે. બ્રહ્મદત્ત' તેનું નામ પડે છે. ચિત્તમુનિ પણ સ્વર્ગમાં જાય છે. ત્યાંથી તે પુરિમતાલ નગરમાં ધનસાર શ્રેષ્ઠીને ત્યાં પુત્રરૂપે અવતરે છે. તેનું નામ “ગુણસાર' રાખવામાં આવે છે, તે યુવાવસ્થામાં જ સાધુ બની જાય છે. કાંડિલ્યપુરમાં ગુણસાર મુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તીને મળે છે. બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તે ચિત્રમૂનિને પૂર્વજન્મો સંબંધી જાણ કરે છે. ચિત્રમૂનિ બ્રહ્મદત્તને ઉપદેશ આપે છે. સંસારનો ત્યાગ કરીને સાધુ બનવા તેને આગ્રહ કરે છે. બ્રહ્મદત્ત ચિત્રમુનિને સંસારી બનવા માટે આગ્રહ કરે છે. બંને વચ્ચે રસપ્રદ વાર્તાલાપ થાય છે. બ્રહ્મદત્ત અતિકામાસક્ત છે. તે ચિત્રમુનિની વાત માનતો નથી. ચિત્રમૂનિ ચાલ્યા જાય છે. બ્રહ્મદત્ત મરીને સાતમી નરકમાં જાય છે. ગુણસારમુનિ (પૂર્વજન્મના ચિત્રમુનિ) સર્વ કર્મોનો નાશ કરીને મુક્તિ પામે છે. ૩૫ ગાથાઓના આ અધ્યયનમાં નિયાણાથી પ્રાપ્ત સુખવૈભવ જીવાત્માને દુર્ગતિમાં લઈ જાય છે. એ વાત સ્પષ્ટ થાય છે. ૧૪. ઈષકારીયઃ નલિની ગુલ્મ' નામના દેવલોકમાં એક સાથે કેટલાક દેવો હતા. તેમનું અવન થયું અને તે બધા ઇષકાર’ નામના સુંદર નગરમાં જન્મ્યા. એક બન્યો ઇષકાર રાજા એક બન્યો રાણી કમલાવતી. એક બન્યો ભૃગુ નામનો પુરોહિત અને એક બન્યો તેની પત્ની યશા. ભૃગુ પુરોહિતના બે પુત્રો જેઓ દેવલોકમાંથી અહીં જન્મ્યા હતા, તેઓ સંસારમાંથી વિરક્ત થાય છે. પિતાની પાસે જઈને સંસાર-ત્યાગની રજા માગે છે. સંયમધર્મ સ્વીકારવાની અનુમતી માગે છે. બે પુત્રો અને પિતાની વચ્ચે ખૂબ સારો સંવાદ થાય છે. પરિણામ એ આવે છે કે ભૃગુ અને યશા બંને પોતાના પ્રિય પુત્રોની સાથે સંયમધર્મ સ્વીકારે છે. આ સાંભળીને રાજા અને રાણી પણ ચારિત્રધર્મ અંગીકાર કરવા તત્પર થાય છે. આ રીતે ૬ મહાનુભાવો ચારિત્રી બને છે અને કર્મક્ષય કરીને મોક્ષે જાય છે. પ૩ ગાથાઓના આ અધ્યયનમાં - - ભૃગુ અને તેના બે પુત્રોનો સંવાદ, – ભૃગુ અને તેની પત્નીનો સંવાદ, -રાજા અને રાણીનો સંવાદ, તીવ્ર વૈરાગ્યના પ્રેરક છે. મોહવાસનાને નિર્મૂળ કરનાર છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy