________________
૧૩૪
૧૫, ભિક્કુ :
ભિક્ષુ એટલે શ્રમણ, અર્થાત્ મુનિ... સાધુ. સાધુનો વેશ ધારણ કરવા માત્રથી કોઈ સાધુ-ભિક્ષુ નથી બની જતો. ભિક્ષુનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ એ આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે. ૧૬ ગાથાઓના આ અધ્યયનનું પ્રત્યેક સાધુ અને સાધ્વીએ અધ્યયન...ચિંતન....મનન કરવું આવશ્યક છે. દીક્ષા લીધા પછી સાધુ-સાધ્વીને આ અધ્યયનનો બોધ કરાવવો જોઈએ, અને દ૨૨ોજ એનો સ્વાધ્યાય ક૨વો જોઈએ.
સાધુના વિચાર, સાધુની વાણી અને સાધુનો જીવન-વ્યવહાર કેવાં હોવાં જોઈએ, એ આ અધ્યયનમાં ભગવાને બતાવ્યું છે.
૧૬, બ્રહ્મચર્ય-સમાધિઃ
પર્વ-પ્રવચનમાળા
सुयं मे आउसं ! तेणं भगवया एव मक्रवायं इह खलु थेरेहिं भगवंतेहि दश बंभचेरं समाहिट्ठाणा पण्णत्ता । जे भिक्खू सोच्चा निसम्म संजमबहूले संवरबहूले समाहिबहूले गुत्त गुतिंदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा ।
-
શ્રી સુધર્મસ્વામી જંબૂસ્વામીને કહે છે ઃ
“હે આયુષ્યમાન્, સ્થવિર ભગવાન મહાવીરે બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાન કહ્યાં છે. એ સ્થાન સાંભળીને ભિક્ષુ સંયમશીલ, સંવરશીલ, સમાધિશીલ, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ઇન્દ્રિયવિજેતા, બ્રહ્મચારી અને અપ્રમત્ત બનીને મોક્ષમાર્ગ પર વિચરે છે.
આ અધ્યયનના પ્રારંભમાં ૧૩ આલાપક છે અને પછી ૧૭ ગાથાઓ છે. ગાથાઓમાં આલાપકોના જ વિષયો આપવામાં આવ્યા છે.
* ભિક્ષુએ સ્ત્રીજન રહિત એકાન્ત સ્થાનમાં રહેવું.
* મનને ખુશ કરનારી, કામરાગ વધારનારી સ્ત્રીકથા ન કરવી. * વારંવાર સ્ત્રીઓ સાથે રાગપૂર્વક વાતો ન કરવી.
* ભિક્ષુએ સ્ત્રીના અંગોપાંગ, આકાર વગેરે ન જોવા.
* ભિક્ષુએ સ્ત્રીનું ગીત, રુદન, હાસ્ય વગેરે ન સાંભળવાં. * ભિક્ષુએ સ્ત્રી સાથે પૂર્વાવસ્થામાં કરેલી કામક્રીડા યાદ ન કરવી.
* ભિક્ષુએ શીઘ્ર કામવાસના જાગ્રત કરનારો આહા૨ ન કરવો.
Jain Education International 2010_03
* ભિક્ષુએ શરીરનો, વસ્ત્રોનો શૃંગાર ન કરવો.
* ભિક્ષુએ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ કામગુણોના અનુરાગી ન બનવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org