SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ सोवाग कुलसंभूओ गुणुत्तरधरो मुणी । हरिएसबलो नामं आसी भिक्खू जिइंदिओ ॥ પર્વ-પ્રવચનમાળા ‘ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા, ઉત્કૃષ્ટ ગુણોના ધારક અને જિતેન્દ્રિય એવા ‘હિકેશબલ’ નામના સાધુ હતા.’ જિનશાસનમાં ‘હરિકેશીમુનિ' નામે પ્રસિદ્ધ આ ઉગ્ર તપસ્વી મુનિરાજ માસક્ષમણની તપશ્ચર્યા પૂર્ણ થતાં ભિક્ષા લેવા નીકળે છે. જ્યાં બ્રાહ્મણોનો યજ્ઞ થતો હતો ત્યાં જાય છે. મુનિનો અતિ કૃશ દેહ, જીર્ણ મલિન વસ્ત્ર, કુરુપતા વગેરે જોઈને બ્રાહ્મણો હસે છે. ઉપહાસ કરે છે. કઠોર વચન બોલે છે. અપમાન, તિરસ્કાર કરે છે...તો પણ મુનિ શાન્ત રહે છે. કશું જ બોલતા નથી. પરંતુ મહામુનિની સેવામાં રહેલાં ‘તિન્દુક’ વૃક્ષવાસી ‘યક્ષ’, મુનિના શરીરમાં પ્રવેશ કરીને બ્રાહ્મણો સાથે વાત કરે છે. ભિક્ષા માગે છે. બ્રાહ્મણો મના કરે છે. ત્યારે યક્ષ કહે છે ते माहणा जाइविज्जाविहुणा ताइं तु खेत्ताई सुपावगा । ‘જાતિવિદ્યા રહિત બ્રાહ્મણ અત્યંત પાપરુપ ક્ષેત્ર છે.' બ્રાહ્મણો ક્રોધિત થઈને મુનિરાજને મારે છે. દંડપ્રહાર કરે છે. એ સમયે યજ્ઞમંડપમાં ઉપસ્થિત કૌશલિક રાજાની પુત્રી ભદ્રા બ્રાહ્મણોને રોકે છે. મુનિરાજનો પરિચય આપે છે. મુનિરાજનાં તપ તેજ બતાવે છે. એ સમયે મુનિરાજનો ભક્ત યક્ષ બ્રાહ્મણોને મારે છે. જેમણે મુનિરાજને માર્યા હતા એ બધાને યક્ષે મૃતપ્રાયઃ કરી દીધા. રાજકુમારીના કહેવાથી બધા બ્રાહ્મણો હરિકેશી મુનિની ક્ષમા માગે છે. પગે પડે છે. શરણાગતિ સ્વીકારે છે. યક્ષે મારવાનું બંધ કર્યું. બ્રાહ્મણો મુનિરાજને ભિક્ષા આપે છે. મુનિરાજ ભિક્ષા સ્વીકારે છે. એ સમયે આકાશમાંથી સુગંધી જળ વરસે છે. પુષ્પવૃષ્ટિ થાય છે. સુવર્ણમુદ્રાઓ વ૨સે છે, દુભિ વાગે છે. અને ‘અહો દાન, અહો દાન' ની ઘોષણા થાય છે. પાછળથી બ્રાહ્મણો મુનિરાજને યજ્ઞનું સ્વરૂપ પૂછે છે. મુનિરાજ યથાર્થ યજ્ઞસ્વરૂપ બતાવે છે. ૪૭ ગાથાઓનું આ અધ્યયન ખૂબ જ રોચક છે અને મનનીય છે. ૧૩. ચિત્ર-સંભૂતીય ઃ આ તેરમા અધ્યાયમાં બે ભાઈઓના પતન અને ઉત્થાનની વાત છે. ચિત્ર અને સંભૂતિ - બે ભાઈઓ દીક્ષા લે છે. હસ્તિનાપુરમાં ચક્રવર્તી પટરાણી સાથે વંદના ક૨વા આવે છે. વંદના કરતી વખતે રાણીનો ચોટલો ખૂલી જાય છે. વાળનો મુલાયમ સ્પર્શ સંભૂતિ મુનિને થાય છે. તેનું મન વૈયિક સુખવાસનાથી ગ્રસ્ત થઈ જાય છે. તે પ્રતિજ્ઞા કરે છે ઃ ‘મારા તપનું ફળ ચક્રવર્તી પદ હજો.’ મરીને તે દેવલોકમાં જાય Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy