SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) ‘ઉત્તરાધ્યયન સ્ત્રીની પ્રતિષ્ઠા કરવી છે! એ યાદ રાખજો, આ ભગવાનની અંતિમ દેશના છે. અંતિમ દેશના અતિ મહત્ત્વપૂર્ણ હોય છે. મોક્ષમાર્ગની આરાધના કરનારા મહાપુરુષો માટે તો-મુમુક્ષુઓ માટે તો આ દેશના, દેશનાનો એક એક શબ્દ અતિમૂલ્યવાન છે. ૧. વિનયશ્રતઃ પહેલો અધ્યાય છે ‘વિનયકૃત' નામનો. અધ્યયનના પ્રારંભે ભગવાને જણાવ્યું છે. संजोगा विप्पमुक्कस्स अणगारस्स भिक्खुणो । विणयं पाउकरिस्सामि आणुपुव् िसुणेह मे ॥ ‘સંયોગોથી સર્વથા મુક્ત એવા અણગાર ભિક્ષુનો વિનયધર્મ” હું ક્રમશઃ પ્રકટ કરીશ, તેને તમે સાંભળો.” સાધુ તેમજ સાધ્વી ચતુર્વિધ સંઘમાં મુખ્ય હોય છે. તેમને લક્ષ્યમાં રાખી ભગવાને દેશનાનો પ્રારંભ કર્યો છે. સંઘનો આધાર શ્રમણ-શ્રમણી હોય છે. અને મોક્ષમાર્ગની આરાધનાનું મૂળ “વિનયધર્મ છે. આ વાત તેમને બતાવવામાં આવી છે. “વિયમૂત્રો ધબ્બો ધર્મનું મૂળ વિનય છે. આ વાત પ્રત્યેક મુમુક્ષુએ યાદ રાખવા જેવી છે. વિનય કોનો કરવો, વિનય કેવી રીતે કરવો, વિનયનું ફળ શું છે, વગેરે વાતો ૪૮ ગાથાઓમાં જણાવી છે. સાધુજીવનનો પ્રાણ છે વિનય, વિનય છે તો સાધુતા છે. વિનય નથી તો સાધુતા નથી ! વિનય છે તો જ્ઞાનપ્રાપ્તિ છે, વિનય નથી તો જ્ઞાનપ્રાપ્તિ નથી. ર. પરીષહઃ જ્ઞાનપ્રાપ્તિ માટે વિનય અનિવાર્ય છે. આમ તો ચારિત્રપાલનમાં પરિષહોને સમતાપૂર્વક સહન કરવા આવશ્યક છે. ભગવાને મોક્ષમાર્ગના સાધકોને ૨૨ પરીષહ સહન કરવાની આ બીજા અધ્યાયમાં પ્રેરણા આપી છે. એક એક પરીષહોનું સ્વરૂપ બતાવ્યું છે, અને આ રીતે પરીષહ આવતાં એટલે કે કષ્ટ-આપત્તિ આવતાં સમતાભાવ ટકાવી રાખવો એ પણ સમજાવ્યું છે. પરીષહ પ્રતિકૂળ અને અનુકૂળ - બે પ્રકારના બતાવ્યા છે. કષ્ટોને સહન કરતા રહો! સહન કરે તે સાધુ!' એવું સૂત્ર આ અધ્યયનમાં આપી દીધું છે ! “સુધા, તરસ, અપમાનતાડન.વગેરે સમતાભાવથી સહન કરતાં રહો! કષ્ટોમાં દુઃખ ન માનો. કર્મક્ષયનો અણમોલ અવસર માનો!” આ અધ્યયન સાધુ-સાધ્વીને સુખ સુવિધાઓથી દૂર રહેવાની પ્રેરણા આપે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy