SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પર્વ-પ્રવચનમાળા જીવનને સહનશીલ બનાવવાનો ઉપદેશ આપે છે. ૪૬ ગાથાઓમાં સાધુ-સાધ્વીને વૃઢતાપૂર્વક પરીષહોને સહન કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ૩. ચતુરંગીયઃ चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतुणो । माणुसत्तं सुई सद्धा, संजमम्मि अ वीरियं ।। ત્રીજા અધ્યયનનો પ્રારંભ આ પ્રસિદ્ધ ગાથાથી થાય છે. “ભગવાને કહ્યું: ‘જીવાત્મા માટે મનુષ્યજન્મ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ – આ ચાર વાતો દુર્લભ છે.” જેને મનુષ્યજન્મ મળ્યો છે તેઓ મનુષ્યજન્મની દુર્લભતાને સમજતાં નથી ! જેમને જિનતત્ત્વોનું શ્રવણ સુલભ છે તેઓ તેની દુર્લભતા સમજતાં નથી. જેને સહજતાથી ધર્મશ્રદ્ધા મળી છે, તેઓ તેની દુર્લભતા નથી જાણતા, અને જેને સંયમધર્મ મળ્યો છે તેની દુર્લભતા સમજતા નથી. એને કારણે જ એ લોકો પ્રમાદી, બનીને પ્રાપ્ત થયેલાં દુર્લભ તત્ત્વોને ખોઈ બેસે છે. મનુષ્યનો આ સ્વભાવ છે કે જેને દુર્લભ સમજે છે તેની સારી સંભાળ રાખે છે. જેને સુલભ સમજે છે તેની પરવા કરતો નથી. ચોથા અધ્યયનમાં ભગવાને રોચક શૈલીથી મનુષ્ય જીવનની પ્રાપ્તિને દુર્લભ બતાવી છે. મનુષ્યજીવન પ્રાપ્ત થયા છતાં પણ સર્વજ્ઞભાષિત તત્ત્વોનું શ્રવણ પ્રાપ્ત થવું વધારે દુર્લભ બતાવ્યું છે. તત્ત્વશ્રવણથી ય વધારે દુર્લભ તત્ત્વશ્રદ્ધા બતાવી છે. અને તત્ત્વશ્રદ્ધાથી અતિદુર્લભ સંયમ-પુરુષાર્થને ગણાવ્યો છે. આપણે આ ચારે વાતોની દુર્લભતા સમજવાની છે અને એ વાતોનો સદુપયોગ કરવો છે. સંભાળ રાખવાની છે. ૨૦ ગાથાના અધ્યયનમાં અંતિમ સિદ્ધિનું લક્ષ્ય આપીને કર્મક્ષય માટે પુરુષાર્થશીલ બનવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ૪. પ્રમાદાપ્રમાદઃ અસંય નીવિયં મા પમાયા ! “જીવન ક્ષણિક છે, પ્રમાદ ન કરો.” કેટલી અદ્ભુત પ્રેરણા આપી છે ! આળસને દૂર કરીને, અપ્રમત્ત-જાગૃત બનીને ધર્મપુરુષાર્થ કરવાનો અનુપમ ઉપદેશ આપ્યો છે. વૃદ્ધાવસ્થામાં પુરુષાર્થ નહીં થાય! યૌવન જ ધર્મપુરુષાર્થ કરી લેવા માટે સુયોગ્ય અવસ્થા છે. સ્ત્રી, ધન..ઇત્યાદિના મોહનાં પાપાચરણ કરનારાઓની કેવી દુર્ગતિ થાય છે એ બતાવીને કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. એ સત્યને સ્પષ્ટ કર્યું છે. સંસારમાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy