SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી ‘કલ્પસૂત્ર'માં શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે तेणं कालेणं तेणं समएणं... पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जगसभाए एगे अबीए छट्ठणं भत्तेणं अपाणएणं साइणा नक्खत्तेणं जोगमुवागएणं पच्चूसकाल - समयंसि संपलियंकनिसण्णे पणपन्नं अज्झयणाई कल्लाणफल- विवागाई, पपन्नं अज्झयणाई पावफलविवागाई, छत्तीसं च अपुट्ठवागरणाई, "पहाणं" नाम अज्झयणं विभावेमाणे विभावेमाणे कालगए विइक्कंते समुज्झाए छिन्न जाइजरा - मरणबन्धणे सिद्धे, बुद्धे, मुत्ते अंतगडे परिनिव्वुडे सव्वदुकखपहीणे । (સૂત્રઃ ૨૪૭) શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અપાપાપુરીમાં બિરાજમાન હતા. રાજા હસ્તિપાલની લેખશાળામાં ચાતુર્માસ વ્યતીત કરી રહ્યા હતા. ભગવાનનું આ અંતિમ ચાતુર્માસ હતું. ચાતુર્માસના ત્રણ માસ વ્યતીત થઈ ચૂક્યા હતા. ચોથો માસ ચાલતો હતો. સર્વજ્ઞ ભગવાન જાણતા હતા પોતાના જીવનકાળની સમાપ્તિ. કાર્તક કૃષ્ણા તેરસની મધ્યરાત્રિએ ભગવાને સમવસરણમાં બિરાજીને અંતિમ દેશના શરૂ કરી દીધી. પૂર્વ-પ્રવચનમાળા ભગવાને પોતાની દેશનામાં ૫૫ અધ્યયન પુણ્યફલ વિપાક' સંબંધી અને ૫૫ અધ્યયન પાપલ વિપાક' સંબંધી કહ્યા, તે પછી ભગવાને ૩૬ અધ્યયન ‘અપ્રશ્નવ્યાકરણ' એટલે કે વગર પૂછેલા અંગે કહ્યા. આ ૩૬ અધ્યયન ‘ઉત્તરાધ્યયન‘ કહેવાયા. આજે આપણું ૫૨મ સૌભાગ્ય છે કે આ ૩૬ અધ્યયન - ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ના રૂપમાં આજે પણ એટલે કે ૨૫૦૦ વર્ષ પછી પણ ઉપલબ્ધ છે. આ ગ્રંથ ઉપર સંસ્કૃત ભાષામાં અનેક ટીકાગ્રંથો લખાયા છે. આ ગ્રંથનું અધ્યયન-અધ્યાપન શ્રમણ-શ્રમણીસંઘમાં ચાલતું રહે છે. કોઈ કોઈ વાર ચાતુર્માસિક વ્યાખ્યાનોમાં પણ ગ્રંથ સંભળાવવામાં આવે છે. પરંતુ છતાં ય ગૃહસ્થવર્ગ આ ગ્રંથથી પરિચિત નથી. તમે લોકોએ કદાચ ભાગ્યે જ આ ગ્રંથને સાંભળ્યો હશે. સભામાંથી : અમે લોકોએ આ ગ્રંથ કદી સાંભળ્યો નથી ! મહારાજશ્રી : આજે સંભળાવીશ, પરંતુ અતિ સંક્ષેપમાં સંભળાવીશ. એક એક અધ્યયનનો પરિચય આપીશ. વિષય-પ્રતિપાદન કરીશ. એટલું ય એકાગ્ર બનીને સાંભળશો તો આ ગ્રંથ ઉપર અહોભાવ જાગૃત થશે અને સાંભળવાની જિજ્ઞાસા ઉદ્ભવશે. બસ, આજે તો મારે આટલું જ કામ કરવાનું છે - તમારા લોકોના હૃદયમાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy