SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાલિકા-પ્રવચન (૧) ૧૨૧ ગૌતમસ્વામીની સાથે પેઢાલપુત્રની તાત્ત્વિક ચર્ચા થાય છે. પેઢાલપુત્ર ભગવાનની પાસે આવીને દીક્ષા લે છે. ચોત્રીસનું ચાતુર્માસ નાલંદામાં ચાતુર્માસ બાદ ભગવાન વાણિજ્યગ્રામ પહોંચ્યા. ત્યાં સુદર્શન' નામનો શ્રીમંત અને વિદ્વાન્ બ્રાહ્મણ રહેતો હતો. તેણે ભગવાનની પાસે આવીને ઉકાળ' વિષયક પ્રશ્નો પૂછ્યા. ભગવાને ચાર પ્રકારના કાળ બતાવ્યા. પછી ભગવાને સુદર્શનનો પૂર્વભવ બતાવ્યો. સુદર્શને દીક્ષા લીધી. ગૌતમસ્વામી આનંદ શ્રાવકને ત્યાં જાય છે. આનંદે આજીવન અનશન કર્યું હતું. ત્યાં આનંદે પોતાના અવધિજ્ઞાનની વાત કરી. ગૌતમસ્વામીને શંકા થાય છે. ભગવાન આનંદની વાત સાચી બતાવે છે. ગૌતમસ્વામી આનંદ પાસે ક્ષમા માગે છે. ભગવાન પાંત્રીસમું ચાતુર્માસ વૈશાલીમાં કરે છે? ચાતુર્માસ પછી ભગવાન કોશલભૂમિ પર પધારે છે. ત્યાંથી સાકેતપુર પહોંચ્યા. ત્યાંનો રાજા હતો શત્રુંજય. ત્યાં જિનદેવ નામના શ્રાવકના પરિચયથી કોટિવેશનગરનો રાજા ચિલાત સાકેતપુરમાં આવે છે. ભગવાનના પરિચયમાં આવે છે અને દીક્ષા લે છે. ભગવાનનું છત્રીસમું ચાતુમસ મિથિલામાં થાય છે? ચાતુમસ પછી ભગવાન રાજગૃહ પધારે છે. પ્રભાસ ગણધર એકમાસના ઉપવાસ કરીને નિર્વાણ પામે છે. ભગવાનનું સાડત્રીસમું ચાતુમણિ રાજગૃહમાં થાય છે? ચાતુર્માસ પછી રાજગૃહમાં જ ગણધર અચલભ્રાતા અને મેતા અનશન ગ્રહણ કરીને નિર્વાણ પામે છે. ભગવાનનું આડત્રીસમું ચાતુમસ નાલંદામાં થાય છે? ચાતુર્માસ પછી ભગવાન મિથિલા પહોંચ્યા. ભગવાન મણિભદ્ર ચૈત્યમાં ઊતર્યા. સમવસરણ થયું. રાજા જિતશત્રુ અને રાણી ધારિણી ભગવાનની પાસે આવ્યાં. ભાવપૂર્વક વંદના કરી. શ્રી ગોતમસ્વામીએ ભગવાનને જ્યોતિષ સંબંધી ૨૦ પ્રશ્નો પૂછ્યાં. ભગવાને પ્રત્યુત્તર આપ્યો. (એનું સંપૂર્ણ વિવરણ “સૂર્યપ્રજ્ઞપ્તિ અને “ચંદ્રપ્રજ્ઞપ્તિ'માં મળે છે.) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy