SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-પ્રવચનમાળા ભગવાનનું ઓગણચાલીસમું ચાતુર્માસ મિથિલામાં...ચાલીસમું પણ મિથિલામાં થયું ઃ ૧૨૨ ચાતુમિસ પછી ભગવાન રાજગૃહ પધાર્યા. શ્રાવક મહાશતકને અવધિજ્ઞાન થાય છે. મહાશતકની પત્ની રેવતી મહાશતકના ધ્યાનમાં વિઘ્ન નાખે છે. મહાશતકને ક્રોધ આવે છે. તેણે રેવતીને કહ્યું : ‘રોગી બનીને સાતમા દિવસે મરીશ અને નરકમાં જઈશ.' ભગવાને શ્રી ગૌતમસ્વામીને મહાશતકની પાસે મોકલ્યા. અને કટુભાષણ કરવાનું પ્રાયશ્ચિત્ત કરાવ્યું. અગ્નિભૂતિ અને વાયુભૂતિ - બે ગણધરો નિર્વાણ પામ્યા. ભગવાનનું એકતાલીસમું ચાતુર્માસ રાજગૃહમાં ગણધર શ્રી વ્યક્ત, મંડિત, મૌર્યપુત્ર અને અપિત નિર્વાણ પામે છે. શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નોના ઉત્તરમાં ભગવાન ૬ આરાનું અને કાલચક્રનું વર્ણન કરે છે. ભગવાનનું બેતાલીસમું ચાતુર્માસ અપાપાપુરીમાં : શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું આ અંતિમ ચાતુર્માસ હતું. આ ચાતુર્માસમાં શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. અને ભગવાને પ્રત્યુત્તરો આપ્યા છે. ભગવંતની અંતિમ દેશનાના વિષયમાં અને નિર્વાણ કલ્યાણકના વિષયમાં કાલે પ્રવચન થશે. આજ બસ, આટલું જ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy