SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પર્વ...વચનમાળા ભગવાને-ત્રીસમું ચાતુમસિ વાણિજ્યગ્રામમાં કર્યું? ચાતુમસ બાદ ભગવાન કાંપિલ્યપુર પધાર્યા. શ્રી ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને અંબડ પરિવ્રાજકનું વૃત્તાંત કહી સંભળાવ્યું. અંબડનું અનશન, દેવલોક, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ અને મોક્ષ....વગેરે બતાવ્યું. ભગવાને એકત્રીસમું ચાતુર્માસ વૈશાલીમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન વાણિજ્યગ્રામ પધાર્યા. દ્વિપલાશ-ચૈત્યમાં બિરાજ્યા. ત્યાં પાર્શ્વનાથ પરંપરાના શ્રી ગાંગેય મુનિ આવે છે, અને ભગવાનને પ્રશ્નો પૂછે છે. ભગવાન એમના પ્રશ્નોનું સમાધાન કરે છે..ગાંગેયમુનિ ભગવાનના શ્રમણસંઘમાં જોડાઈ જાય છે. ભગવાને બત્રીસમું ચાતુર્માસ વૈશાલીમાં ગાળ્યું ચાતુમસ પછી ભગવાન રાજગૃહમાં પધારે છે, અને ગુણશીલ ચૈત્યમાં બિરાજે . ગૌતમસ્વામીએ અન્ય તીર્થિકો સંબંધી પ્રશ્નો પૂછડ્યાં. ભગવાને તેના પ્રત્યુત્તરો આપ્યા. ગૌતમસ્વામીએ “આરાધના'ના વિષયમાં પ્રશ્નો પૂછયાં. ભગવાને તેના પ્રત્યુત્તરો આપ્યા. ગૌતમસ્વામીએ પુદ્ગલ-પરિણામ'ના વિષયમાં પ્રશ્નો કર્યા. અને ભગવાને તેના પ્રત્યુત્તરો આપ્યા. રાજગૃહીથી ભગવાન પૃષ્ઠચંપા પધાર્યા. ભગવાનની આ યાત્રામાં પિઠર, ગાગલિ આદિની દીક્ષા થઈ. ભગવાન ફરીથી રાગૃહ પધાર્યા. ત્યાં ભગવાનના પરમભક્ત મદુદુક શ્રાવકની અન્ય મતાવલંબીઓ સાથે તાત્ત્વિક ચર્ચા થાય છે. મદુક એ લોકોને નિરુત્તર ' કરી દે છે. ભગવાનનું તેત્રીસમું ચાતુમસ રાજગૃહમાં ચાતુર્માસ પછી નિકટવર્ત પ્રદેશોમાં વિચરણ કરીને ભગવાન પુનઃ રાજગૃહ પધારે છે. “કાલોદયી' નામના તપસ્વીને પંચાસ્તિકાયના વિષયમાં બોધ કરાવે છે. કાલોદયી દીક્ષા લે છે. જાલી, મહાલી વગેરે અણગારો વિપુલાચલ પર અનશન કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy