SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાલિકા -પ્રવચન (૧) ૧૧૭ કોઈ ભગવાનની પાસે પ્રવજ્યા લેશે તેને હું રોકીશ નહીં.' શ્રેણિકના ૨૩ પુત્રો તથા ૧૩ રાણીઓએ દીક્ષા લીધી. ભગવાને ઓગણીસમું ચાતુમસ રાજગૃહમાં કર્યું: ચાતુમસ પછી ભગવાન આલંબિયા થઈને કૌશામ્બી પધાર્યા. કૌશામ્બીના રાજા ઉદયનની માતા મૃગાવતીએ ભગવાન પાસે દીક્ષા લીધી. રાજા ચંડપ્રદ્યોત તથા તેની અંગારવતી આદિ આઠ રાણીઓએ પણ દીક્ષા લીધી. ભગવાને વીસમું ચાતુર્માસ વૈશાલીમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન કાકંદી નગરીમાં પધાર્યા. સમવસરણ થયું. રાજા જિતશત્રુ દર્શન-વંદન કરવા ગયો. કાકંદીમાં “ભદ્રા' નામની સાર્થવાહ-પત્ની રહેતી હતી. તેનો પુત્ર હતો ધન્યકુમાર. ૩૨ કન્યાઓ સાથે તેના લગ્ન થયાં હતાં. તેણે પણ ભગવાનનો ઉપદેશ સાંભળીને વૈરાગી બની દીક્ષા લીધી. એ સમયે રાજા જિતશત્રુએ ઘોષણા કરાવીઃ જે લોકો મૃત્યુના નાશની ઈચ્છા રાખે છે. અને એ માટે વિષય-કષાય ત્યાગ કરવા તત્પર હોય, પરંતુ મિત્ર, જાતિ તથા સ્વજનોના આગ્રહથી રોકાયા હોય તેઓ પ્રસન્નતાપૂર્વક દિક્ષા લઈ લે. તેમના સંબંધીઓના યોગક્ષેમની જવાબદારી હું મારી ઉપર લઈ લઉં છું.” ધન્યકુમાર “ધન્ના અણગાર’ નામે પ્રસિદ્ધ થયા. . કાકંદીમાં ‘સુનક્ષત્રની પણ દીક્ષા થઈ. 1 કાકંદીથી ભગવાન કાંડિલ્યપુર પધાર્યા. ત્યાં કુડકલિકે શ્રાવક વ્રત સ્વીકાર્યું. પ ભગવાન પોલાસપુર આવ્યા. ત્યાં સદાલકપુત્ર શ્રાવકવ્રત અંગીકાર કર્યું. ભગવાને એકવીસમું ચાતુર્માસ વૈશાલીમાં કર્યું? ' ચાતુર્માસ બાદ ભગવાન રાજગૃહ પધાર્યા. ત્યાં “મહાશતક' ગાથાપતિએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પાર્શ્વનાથ પરંપરાના શ્રમણોએ ભગવાન મહાવીરસ્વામીના ધર્મશાસનમાં પ્રવેશ કર્યો. રોહ અણગારે લોક-અલોક વિષયક પ્રશ્નો પૂછયા, ભગવાને સમાધાન કર્યું. - શ્રી ગૌતમ સ્વામીએ લોકસ્થિતિ વિષયક પ્રશ્નો પૂછડ્યા, ભગવાને સમાધાન કર્યું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy