SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ભગવાને સોળનું ચાતુર્માસ રાજગૃહમાં કર્યું ઃ ચાતુમિસ પછી ભગવાન ચંપા પધાર્યા. ત્યાંનો રાજા હતો દત્ત. તેનો પુત્ર મહાચંદ્ર યુવરાજ હતો, તેને ૫૦૦ રાણીઓ હતી. ભગવાનની દેશના સાંભળીને મહાચંદ્ર પ્રભાવિત થાય છે અને દીક્ષા લે છે. પર્વ-પ્રવચનમાળા ત્યાંથી ભગવાન સિંધુ-સૌવીર દેશની રાજધાની વીતભયનગરમાં જાય છે. ત્યાંનો રાજા ઉદયન, ભગવાન પાસે દીક્ષા લે છે. વીતભય જતી વખતે રસ્તામાં સાધુઓને ભિક્ષા તથા પાણી ન મળવાથી ખૂબ કષ્ટ પડયું. રસ્તામાં તલથી ભરેલી ગાડીઓ મળી. ગાડીઓના માલિકે કહ્યું : ‘આ ખાઈને આપ લોકો ભૂખ શાંત કરો.’ પરંતુ ભગવાને મના કરી દીધી. તેઓ જાણતા હતા કે તલ અચિત્ત છે પરંતુ ખોટી પરંપરા ન પડી જાય, એટલા માટે તલ ન લીધા. એ જ રીતે સરોવરમાં અચિત્ત પાણી હતું; સાધુઓ તરસ્યા હતા, છતાં પણ ભગવાને અનુમતિ ન આપી. ભગવાન વીતભયથી વિહાર કરીને વાણિજ્યગ્રામ પધાર્યા. ભગવાને સત્તરમું ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં કર્યું ઃ ચાતુર્માસ પૂર્ણ થતાં ભગવાન બનારસ પધાર્યા. ભગવાનનો ઉપદેશ સાંભળીને ત્યાંનો શ્રીમંત શ્રેષ્ઠી ચુલ્લિનીપિતા અને એની પત્ની શ્યામા વ્રતધારી શ્રાવકશ્રાવિકા બન્યાં. એ રીતે સુરાદેવ અને તેની પત્ની ધન્યા પણ વ્રતધારી શ્રાવક શ્રાવિકા બન્યાં. બના૨સથી વિહાર કરીને ભગવાન આલંભિયા પધાર્યા. આલંભિયામાં પ્રભુ શંખવનમાં બિરાજ્યા. શંખવનની પાસે ‘પુદ્ગલ’ નામનો પરિવ્રાજક રહેતો હતો. તે વિભંગજ્ઞાની હતો. પરમાત્માના સંપર્કમાં આવ્યો. પ્રતિબુદ્ઘ થયો. દીક્ષા લીધી અને મોક્ષગામી બન્યો. આ નગરમાં ચુલ્લશતક અને એની પત્ની બહુલાએ પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો. આલંભિયાથી ભગવાને વિહાર કર્યો અને રાજગૃહ પધાર્યા. ત્યાં મંકાતી, વિક્રમ, અર્જુનમાલી અને કાશ્યપની દીક્ષા થઈ. ભગવાને અઢારમું ચાતુર્માસ રાજગૃહમાં કર્યું ઃ ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પણ ભગવાન રાજગૃહીમાં જ રહ્યા. એક દિવસે મગધસમ્રાટ શ્રેણિકે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું : ‘શ્રેણિક, તારે નરકમાં જવું પડશે. પરંતુ એની ચિંતા ન કરવી. ભાવિચોવીસીમાં તું પદ્મનાભ (બીજું નામ મહાપદ્મ) નામે પ્રથમ તીર્થંકર બનીશ.’ શ્રેણિકે રાજપરિવારમાં તથા મંત્રીઓ અને સામંતો વચ્ચે ઘોષણા કરી કે ઃ ‘જે : Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy