SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ દીપાલિકા-પ્રવચન (૧) ભગવાને તેરમું ચાતુમસ રાજગૃહમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન બ્રાહ્મણકુંડગ્રામમાં પધાર્યા. તેઓ બહુસાલચૈત્યમાં બિરાજે છે. દેવો “સમવસરણ રચે છે. ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણને ભગવાનના આગમનના સમચાર મળે છે. તેમણે દેવાનંદાને કહ્યું: હે સુંદરી, ત્રણે લોકમાં તિલક સમાન સર્વજ્ઞશ્રી વીરજિન સ્વયં ગામમાં પધાર્યા છે.' ઋષભદત તથા દેવાનંદા સમવસરણમાં આવે છે. ભગવાનને જોઈને જ દેવાનંદાના સ્તનોમાંથી દૂધની ધારા છૂટે છે. ગૌતમ સ્વામી વગેરે આશ્ચર્યચકિત થઈ જાય છે. ગૌતમે પૂછ્યું: ‘ભગવંત, આ કોણ છે?” ભગવાને કહ્યું: “ગૌતમ, આ મારી માતા છે. હું એની કુક્ષિમાં ૮૨ દિવસ રહ્યો હતો !” ભગવાને ત્યાં ધર્મોપદેશ આપ્યો. ઋષભદત્ત અને દેવાનંદાએ ગૃહવાસ ત્યજી દીધો. સાધુ સાધ્વી બની ગયાં, કર્મક્ષય કર્યો અને મોક્ષે ગયાં. ત્યાંથી ભગવાન ક્ષત્રિયકુંડ ગયા. રાજા નંદિવર્ધન નગરજનોની સાથે વંદન કરવા આવ્યા. ભગવાનની પુત્રી પ્રિયદર્શના અને તેનો પતિ જમાલી પણ દર્શન કરવા આવ્યા છે. જમાલીને વૈરાગ્ય થાય છે. ૫00 રાજકુમારોની સાથે જમાલી દીક્ષા લે છે. પ્રિયદર્શના પણ ૧000 રાજકુમારીઓ સાથે દીક્ષા લે છે. ભગવાન ત્યાંથી વિહાર કરીને વૈશાલી પધાર્યા. ભગવાને ચૌદમું ચાતુર્માસ વૈશાલીમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન વત્સ દેશમાં પધારે છે. વત્સ દેશની રાજધાની શ્રાવસ્તી હતી. ત્યાં જયન્તી શ્રાવિકા (રાજા શતાનિકની બહેન) રહેતી હતી. તે ભગવાનની પાસે આવે છે. ધમપદેશ સાંભળ્યા પછી ભગવાનને તાત્ત્વિક પ્રશ્નો પૂછે છે, સમાધાન પામે છે અને દીક્ષા ગ્રહણ કરે છે. ત્યાંથી પ્રભુ વાણિજ્યગ્રામ પધારે છે. ત્યાં આનંદ શ્રાવક અને શિવાનંદા બાર વ્રતો ગ્રહણ કરે છે. ભગવાને પંદરનું ચાતુમસિ વાણિજ્ય ગ્રામમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન રાજગૃહમાં પધાર્યા. નગરની બહાર ગુણશીલ ચૈત્યમાં સ્થિરતા કરે છે. ત્યાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને ધાન્યના અંકુરો વિશે - અંકુરોત્પત્તિ - શક્તિના વિષયમાં પ્રશ્ન પૂછે છે. ભગવાન સમાધાન કરે છે. અહીંશાલિભદ્ર તથા ધનાજીની દીક્ષા થાય છે. ધનાજી તેમજ શાલિભદ્રની વાત પ્રસિદ્ધ છે. બંને મુનિ કાલધર્મ પામીને અનુત્તર દેવલોકમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy