SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પર્વ-પ્રવચનમાળા ઉપવાસ કર્યા હતા. જીરણ શ્રેષ્ઠીનો પ્રસંગ અહીંનો છે. ભગવાનને પારણાં કરાવવાની ઉચ્ચતમ ભાવનાના બળે તેણે સદ્ગતિ પ્રાપ્ત કરી હતી. પારણાં તો ભગવાને અભિનવ શેઠને ઘેર કરી લીધાં હતાં. વૈશાલીમાં જ નાગકુમારેન્દ્ર ભૂતાનંદે આવીને ભગવાનને કુશળતા પૂછી અને કહ્યું કે : હે ભગવાનું, આપને ટૂંક સમયમાં જ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્તિ થશે.” ચાતુર્માસ પછી ભગવાન સુસુમાર ગામમાં પધાર્યા. ત્યાં અમરેન્દ્રનો ઉત્પાત થાય છે એની રોચક કથા ભગવતીસૂત્ર' માં આવે છે. ભગવાન અનેક ગામનગરોમાં વિચરતા કૌશામ્બી નગરીમાં આવે છે. ત્યાં પોષ વદિ એકમના દિવસે ભગવાને ભિક્ષા સંબંધી એક ઘોર અભિગ્રહ કર્યો - શિરે મુંડન, પગમાં બેડી, ત્રણ દિવસની ઉપવાસવાળી, રાંધેલા અડદના બાકળા સુપડામાં ખૂણામાં લઈને ભિક્ષાનો સમય પસાર થઈ ગયા પછી, દ્વારની વચ્ચે ઊભેલી, દાસીપણાને પ્રાપ્ત કરનારી અને રડતી કોઈ રાજકુમારી પાસેથી ભિક્ષા મલે તો લેવી, નહીંતર ન લેવી.” પાંચ માસ અને પંદર દિવસના ભગવાનને ઉપવાસ થયા. પછી ચંદનબાલાના હાથે પારણાં થયાં. આ ચંદનબાલા ભગવાનની પ્રથમ સાધ્વી બની હતી અને ચારિત્રધર્મનું પાલન કરીને મોક્ષે ગઈ હતી. ભગવાને બારમું ચાતુમસ ચંપાનગરીમાં સ્વાતિદત્ત બ્રાહ્મણની યજ્ઞશાળામાં કર્યું. ભગવાનની ઘોર તપશ્ચર્યાથી આકૃષ્ટ થઈને પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે યક્ષો રાતમાં આવીને ભગવાનની સેવા કરતા હતા. સ્વાતિદત્ત દરરોજ આ જોતો હતો. તેથી તે પ્રભાવિત થયો. પછી તેણે ભગવાનને કેટલાક તાત્ત્વિક પ્રશ્નો પૂછ્યા; ભગવાને પ્રત્યુત્તર આપ્યા. સ્વાતિદત્ત નતમસ્તક થઈ ગયો. ચાતુર્માસ પછી પ્રભુ જંભિયગ્રામ પધાર્યા. ત્યાંથી મેઢિય થઈને છમ્માણી ગયા. ગામની બહાર ધ્યાનસ્થ બનીને ઊભા રહ્યા. અહીં ગોવાળે ભગવાનના બે કાનોમાં લાકડાની બે સળીઓ ઠોકી દીધી હતી. એ સળીઓને પથ્થરથી એવી તો ઠોકી કે બંને સળીઓ અંદર મળી ગઈ! પછી ગોવાળે બહારની સળીઓ કાપી લીધી. ભગવાન ત્યાંથી વિહાર કરીને “મધ્યમા પાવા નગરમાં પધાર્યા. ત્યાં સિદ્ધાર્થ વણિક અને ખરક વૈદ્ય ભગવાનના કાનોમાંથી એ સળીઓ કાઢી. લોહીથી રંગાયેલી સળીઓ ખેંચી કાઢતાં ભગવાનના મુખેથી ચીસ નીકળી પડી. એનાથી આખું ઉદ્યાન ભયાનક બની ગયું. ખરકવૈદ્ય સંરોહણ ઔષધિથી તે કોનોના ઘાને ભરી દીધા અને ભગવાનને વંદન કરીને, એ બે જણા ચાલ્યા ગયા. એ ગોવાળ મરીને સાતમી નરકમાં ગયો અને ખરક વૈદ્ય અને સિદ્ધાર્થ મરીને દેવલોકમાં ગયા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy