SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાલિકા -પ્રવચન (૧) ૧૧૧ રહ્યા. એ સમયે ભગવાને ગોશાલકને તેજલેશ્યા' સિદ્ધ કરવાનો ઉપાય બતાવ્યો. ગોશાલકે શ્રાવસ્તી નગરીમાં જઈને હાલહલા નામની કુંભારણને ઘેર રહીને તેજલેશ્યા સિદ્ધ કરી. પાછળથી તેણે નિમિત્ત શાસ્ત્રનું અધ્યયન કર્યું. સુખ-દુઃખ, લાભ-હાનિ, જીવન અને મૃત્યુ - આ છ વાતોમાં સિદ્ધ નૈમિત્તિક બની ગયો. પછી તે આજીવક-સંપ્રદાય નો “ભગવાન” બનીને વિચારવા લાગ્યો. * ભગવાન સિદ્ધાર્થપુરથી વૈશાલી થઈને વાણિજ્યગ્રામ પધાર્યા. વાણિજ્યગ્રામમાં આનંદ શ્રાવક રહેતો હતો. આનંદને અવધિજ્ઞાન થઈ ગયું હતું. તેણે ભગવાનને વંદન કરીને કહ્યું : 'હે ભગવનું આપનું શરીર અને મન બંને વજનાં બનેલાં છે. એટલા માટે અતિ દુઃસહ પરીષહ અને દારુણ ઉપસર્ગો આવવા છતાં પણ આપનું શરીર ટક્યું છે. હવે નજીકના ભવિષ્યમાં જ આપને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” ભગવાન ત્યાંથી શ્રાવસ્તી પધાર્યા. દશમું ચાતુર્માસ શ્રાવસ્તીમાં કર્યું. ચાતુર્માસ પછી વિહાર કરીને ભગવાન સાનુલઠિય સન્નિવેશમાં પધાર્યા. ત્યાં પ્રભુએ ભદ્રમહાભદ્ર નામની પ્રતિમાઓ કરી. (પ્રતિમા એટલે વિશેષ પ્રકારની આત્મસાધના) આરાધના કરી અને લગાતાર ૧૬ ઉપવાસ કર્યા. ત્યાંથી વિહાર કરીને ભગવાન કૃઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાળ ગામમાં ગામ પાસેના પેઢાલ-ઉદ્યાનમાં પોલાસ-ચૈત્યમાં જઈને અટ્ટમ કર્યો, અને “મહાપ્રતિમા તપ કર્યું. એ સમયે દેવલોકમાં ઇન્ટે પોતાની સભામાં ભગવાનની મુક્ત કંઠે પ્રશંસા કરી. ભગવાન મહાવીરની બરાબરનો આ જગતમાં કોઈ ધ્યાની યા ધીર નથી. મનુષ્ય તો શું, દેવ પણ તેમને વિચલિત ન કરી શકે.” દેવસભામાં સંગમ નામનો દેવ બેઠો હતો. તેનાથી ભગવાનની પ્રશંસા સાંભળી ન ગઈ. તેણે કહ્યું: “એવો કોઈ મનુષ્ય હોતો નથી કે જે દેવોની સાથે સ્પર્ધા કરી શકે, સરખામણી કરી શકે. અત્યારે જ જઈને તેને વિચલિત કરું છું. એવી પ્રતિજ્ઞા કરીને સંગમદેવ ભગવાન મહાવીરની પાસે પહોંચ્યો. તેણે એક રાત્રિમાં ૨૦ અતિ ભયંકર ઉપસર્ગો કર્યા. સંગમ છ માસ સુધી નિરંતર ભગવાનને કષ્ટ આપતો જ રહ્યો. પરંતુ ભગવાનને વિચલિત ન કરી શક્યો. તેણે ભગવાનને કહ્યું “ઇન્ડે આપની જે સ્તુતિ કરી હતી તે પૂર્ણ સત્ય છે. આપ સત્યપ્રતિજ્ઞ છો અને હું મારી પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયો છું.” હારીને સંગમ દેવલોકમાં ચાલ્યો ગયો. ભગવાન ત્યાંથી વ્રજગામ પધાર્યા. પૂરા છ મહિના પછી તેમણે એક વૃદ્ધાના હાથે ખીરથી પારણાં કર્યા. ભગવાને અગિયારમું ચાતુર્માસ વૈશાલીમાં કર્યું. ભગવાને અહીં ચાર માસના Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy